________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૮ ).
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
BE
હોય તથાપિ પરોપકાર તે કરે છે એમ મનુષ્યો તે અવધી શકે છે. પરસ્પરોપકારના જ્ઞાનવિના પૃથ્વીકાય-અકાય-તેજસ્કાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એ છ પ્રકારના જીવોને પરસ્પરોપકારની આપલે થયા કરે છે. અએવ પરોપકારોમાં યથાશકત્યા પ્રયત્ન કરવો જોઈએ. નદી–વૃક્ષ-સન્ત વગેરે પરોપકારને માટે વિશ્વમાં વખણાય છે. પરેપકાર કર્યો કદાપિ નિષ્ફલ જતો નથી. અન્યના પરોપકાર ગ્રહણ કરી સામા પરોપકારો ન કરવા–એ મૂઢ કંજુસ રાક્ષસ લોકેનું લક્ષણ છે. પોતાની પાસે જે કંઈ છે તે અન્ય પાસેથી મેળવ્યું છે. તેમાં અન્યોના ઉપકારોજ કારણભૂત છે. આ સંબંધી કઈ એમ કહે કે ધન અને સત્તાવડે જે કંઈ મળ્યું છે તે પુણ્ય અને ઉદ્યમથી મળ્યું છે, તેમાં અન્યના ઉપકાર કેવી રીતે ઘટી શકે ? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે સત્તા ધન વગેરેની પ્રાપ્તિમાં અન્ય જીવોની જે સહાય મળી છે તે પરોપકાર જ છે. તેમજ પૂર્વભવમાં જે પુણ્ય કરવામાં આવ્યું તેમાં પણુ ગુરુ, મનુષ્ય વગેરેના પરોપકારે થએલા છે; તેથી વિશ્વવર્તિજીવોના પરોપકાર ગ્રહને લક્ષ્મી અને સત્તાધારક થવાયું છે માટે ઉપકારો પાછા વાળવાને પકારિક કાર્યો કરવાં જ જોઈએ. એ કંઈ પિતાની ફરજ કરતાં વિશેષ કરાતું નથી કે જેથી અહેમમત્વ વૃત્તિને સેવવાની જરૂર પડે, શ્રી તીર્થકર સમાન આ વિશ્વમાં અન્ય કઈ તીર્થંકરનામકર્મ૩૫ પુણ્યદલિકને ગ્રહણ કરનાર નથી. તીર્થંકરનામકર્મ ગ્રહણ કર્યા પશ્ચાત્ જ્યારે તેઓ તીર્થકર થાય છે ત્યારે તેઓ સમવસરણમાં બેસીને તીર્થંકર નામકર્મનું દેવું જગતને આપવા માટે વસ્તુતઃ તીર્થંકરનામકર્મ તદ્દદ્વારા નિર્જરાવવા માટે પાંત્રીશ ગુણયુક્ત દેશના દે છે અને તીર્થંકરનામકર્મની ફરજ અદા કરીને વિશ્વોપકાર કરી વિશ્વમાંથી મુક્ત થાય છે. તેઓ પણ તીર્થંકરનામકર્મની ફરજ બજાવે છે તે અન્ય મનુષ્ય જગતના ઉપકાર ગ્રહણ કરીને મોટા બનેલા હોય તેઓ પણ સ્વફરજ બજાવે ત્યારે જગતના ઉપકારમાંથી મુક્ત થાય એમાં કંઈ કહેવાનું રહેતું નથી. જે જે પુણ્યકર્મો કર્યા હોય છે તેમાં અજેની સહાયની જરૂર રહે છે અને અન્યની સહાય તેજ ઉપગ્રહ અવધે. આ પ્રમાણે ઉપગ્રહની વિશ્વમાં વ્યવસ્થા હોવાથી ઉપગ્રહ કરવાની ફરજ દૃષ્ટિએ આવશ્યકતા અવાધાય છે. ઘોઘવાતા હતાં વિતા: સત્યરૂષોની વિભૂતિ ખરેખર પોપકારને માટે હોય છે. અખારાપુરાદન થાતથ વચનાર્થ, પુષં વાર ખાજા વીકરમ્ II અનેક આગમ શાસ્ત્રો પરોપકાર કરવાને માટે ઉપદેશ કરે છે. પરોપકારથી પુણ્ય થાય છે અને અધિકાર પ્રમાણે પોપકારકર્મ કરીને સ્વફરજ અદા કરવાથી આત્માની શુદ્ધતા તથા ઉચ્ચતા થાય છે; અએવ પ્રત્યેક મનુષ્ય યથાશક્તિ પરોપકારનાં કૃત્યો કરવા જોઈએ. પરે પકારનું જીવન તેજ ખરું જીવન છે. પોપકારને માટે પૂર્વમુનિયેએ-ત્રષિએ આત્માર્પણ કરવામાં કઈ જાતની બાકી રાખી નહોતી. હે મનુષ્ય ! જે હે મનુષ્યભવ પામીને પરોપકારનાં કૃત્યમાં લક્ષ ન દીધું તે તું સમ્યકત્વ જ્ઞાનચારિત્રાદિ ગુણ પ્રાપ્ત કરી શકવાને નથી.
For Private And Personal Use Only