________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
અનધિ અમર્યાદિત સાહજિક આનન્દસાગરની અમુક પદાર્થોમાં ઈચત્તા અને કર્તવ્યતા માની લઈ હર્ષ ધારણ કરવાથી અપરિમિત સાહજિક આનન્દની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. ઉલટું અમુક પદાર્થોમાં મુંઝાઈ રહેવાથી બાહ્યક્તવ્ય કાર્ય ફરજ અદા કરતાં વિશ્વજીવોને હાનિ કરવાને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે સ્વાત્માનું ઐકય કરીને તેમાં તદ્દીન થઈ ભાદ્ય પદાર્થોના કર્તવ્યકર્મમાં હર્ષશોકરહિત થઈ પ્રવૃત્ત થ ઉપયોગ મૂકી પશ્ચાતુ જે ઉપાયો ભાસે તે આચારમાં મૂકવા કે જેથી કર્તવ્ય કાર્યની યોગ્ય તાને પ્રસન્નાસ્વદશાથી પ્રાપ્ત કરી શકાય. દેહાત્મવાદીઓ-જડવાદીઓ હર્ષશોકમાં સમાન રહીને કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ વિચારેને માન આપી શકે નહિ અને તેવી શ્રદ્ધા કરી શકે નહિ; કારણકે તેઓની આત્માની માન્યતામાં શ્રદ્ધા હતી નથી તેથી તેઓને કર્તવ્યકમમાં હર્ષશેકમાં સમાન થઈને વિચરવું એ રુચે નહિ. દેહાત્મવાદીઓ હર્ષશોકની લાગણપૂર્વક કર્તવ્ય કાર્યોને કરે છે તેથી તેઓનું આત્મિકબલ વિકાસ પામતું નથી, તેથી તેઓ વિશ્વોપકારી મહાકૃત્યો કરવાની આત્મશ્રદ્ધાના અને સર્વસ્વાર્પણ કરવાની પ્રવૃત્તિના પૂજક બની શકતા નથી. હર્ષના આવેશમાં આવનાર મનુષ્ય અમુક સમય પશ્ચાત્ શેકના આવેશમાં આવે છે અને શોકની વૃત્તિથી આત્મિકબલ ઘટે છે; માટે હર્ષશેકના તાબે થઈ પ્રમત્ત ન થતાં અપ્રમત્ત બની સ્વાધિકાર સર્વ આવશ્યકકાર્યોને કરવા કે જેથી તે કાર્યો કરતાં કરતાં આયુષ્યની સમાપ્તિ થાય તે પણ આત્માની નિર્લેપતા અને સમાનતાથી ઉત્કાન્તિ થાય અને પરમાત્મપદપ્રાપ્તિની સાથે બાહ્યકર્તવ્યની સ્વાધિકાર પ્રવૃત્તિમાં કઈ જાતનો વિરોધ આવે નહિ; આત્મામાં (પરમાત્મતા) સત્તાએ ભાવીને સર્વ બ્રહ્મસ્થ જીની પરમા
ત્મા સાથે ઐક્યભાવમાં ઉપયોગે લીન થઈ જઈ સ્વાધિકારે બાહ્યકર્તવ્યોને કરવામાં આવશે તો હર્ષશેકથી વિમુક્ત થવાશે. સ્વાધિકારે અવસ્થાદિયેગે બ્રહ્મક્તવ્યકર્મોથી પશ્ચાત પડાય તે પરિણામ એ આવે કે બાહ્યવિશ્વસામ્રાજ્યના સ્વાતંત્ર્યની સત્તાધારક દેહાત્મવાદીઓ બને અને તેની પરતંત્રતા તળે ચિતન્યવાદીઓ આવે અને તેથી ધર્મની સર્વ વ્યાવહારિક શ્રેયસ્કર શકિતને ગુમાવવાને પ્રસંગ આવે અને તેમજ જડવાદીઓના સત્તા સામ્રાજ્યથી ધર્મ કરતાં પાપને વિશ્વમાં અત્યંત પ્રચાર થાય. અએવ ધાર્મિક સત્તાની વ્યવસ્થા સંરક્ષવા માટે ધાર્મિક સામ્રાજ્યની અખંડતા અને પ્રગતિના અનુકૂળ એવા બાહ્ય જીવનનાં સ્વાતંત્ર્યસત્તાસંરક્ષક બાહ્યકર્મોની કર્તવ્યતાને ગૃહસ્થોએ કરવી જ જોઈએ અને અન્તરથી હર્ષશેકવિમુકત રહેવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. પૂર્વે આર્યોએ અનાર્યોની સત્તા સામે સ્પર્ધા કરીને બાહ્યપ્રવૃત્તિયોને આવશ્યક ફરજ તરીકે માની સેવી હતી તેનું વાસ્તવિક કારણ ઉપર કથ્યા પ્રમાણે છે. તેને સાધ્યલક્ષ્યોપયોગ ચૂકવાથી સંપ્રતિ પતિતદશા થઈ છે તે અનેક દૃષ્ટિયોની સાપેક્ષતાપૂર્વક વિચારવું. હર્ષ અને શોકની લાગણીથી રહિત થયા પશ્ચાત્ બાહ્યકર્તવ્ય કરવાની
For Private And Personal Use Only