Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
૨૧૨
કર્મપ્રકૃતિ ભાગ -૨
- હવે જે આચાર્ય અનંતાનુબંધિની ઉપશમના માને છે તેમના મતે અનંતાનુબંધિની ઉપશમના વિધિ :- જણાવે છે. અવિરત સમ્યગુદૃષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અપ્રમત્તસંયત જીવોમાંથી કોઇ એક જીવ અનંતાનુબંધિની ઉપશમના કરવાની ઇચ્છાવાળો પૂર્વ કહેલ ક્રમથી યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ કરે છે.ફક્ત અહીં અપૂર્વકરણમાં ગુણશ્રેણિ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓની ઉપર જે સ્થિતિઓ છે તેની મધ્યમાંથી દલિકને ગ્રહણ કરી ઉપરની સ્થિતિઓમાં દરેક સમયે અસંખ્યયગુણપણે નિક્ષેપરૂપ જાણવો, બાકીનું તે જ પ્રમાણે વિધિ છે.
પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે, અને અનિવૃત્તિકરણાદ્ધાના સંખ્યયભાગ ગયે છતે એક સંખ્યાતમો ભાગ બાકી રહે અનંતાનુબંધિની નીચેની આવલિકા માત્ર મુકીને અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ નવા સ્થિતિબંધ કાલ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ કાલથી કરે છે. અને અંતરકરણ સંબંધી દલિકને ઉવેલીને બંધાતી પરપ્રકૃતિને વિષે નાંખે છે. અને પ્રથમસ્થિતિગત આવલિકા માત્ર દલિકને વેદાતી પરપ્રકૃતિને વિષે સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. અને અંતરકરણ કરે છતે બીજા સમયે અનંતાનુબંધિના ઉપરના સ્થિતિ દલિકને ઉપશમાવવાની શરૂઆત કરે છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયે અલ્પ ઉપશમાવે, બીજા સમયે અસંખ્યયગુણ ત્રીજા સમયે અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અંતર્મુહૂર્ણ થાય. અને આટલા કાલથી સંપૂર્ણ રીતે અનંતાનુબંધિની ઉપશમિતા = ઉપશમન થાય છે. જે પ્રમાણે રેતીનો સમૂહ પાણીના બિન્દુથી સિંચન કરી કરીને લાકડાના મજબુત ઘણથી કૂટાયેલો નિમૅદ થાય છે તે પ્રમાણે કર્મરૂપી રેતીનો સમૂહ પણ વિશુદ્ધિરૂપ પાણીના પ્રવાહથી સીંચન કરી કરીને અનિવૃત્તિકરણરૂપ ઘણ વડે કરીને કૂટાયેલો સંક્રમણ-ઉદય-ઉદીરણા–નિધત્તિ-નિકાચનાકરણોને અયોગ્ય થાય છે. તે પ્રમાણે અન્ય આચાર્યના મતે અનંતાનુબંધિની ઉપશમના કહીં. (યંત્ર નં. ૧૪ મ-વ જુઓ)
ઇતિ ૪થી અનંતાનુબધિની વિસંયોજના દ્વાર પ્રરૂપણા સમાપ્ત - અથ પમું દર્શનમોહનીય ક્ષપણા દ્વાર :-) दसणमोहे वि तहा, कयकरणद्धा य पच्छिमे होइ। નિગમના મજુસ્સો, પવનો મક્વાર્ષિ ને રૂ૨ . दर्शनमोहेऽपि तथा, कृतकरणाद्धा च पश्चिमे भवति ।
जिनकालको मनुष्यः, प्रस्थापको वर्षाष्टकस्योपरि ॥ ३२ ।। ગાથાર્થ :- અહીં દર્શનમોહનીયની ક્ષપણાનો પ્રારંભક જિનકાલિક મનુષ્ય જાણવો. તે આઠ વર્ષથી અધિક વયવાળો અને પ્રથમ સંઘયણવાળો હોય છે. પૂર્વે જે રીતે અનંતાનુબંધિની વિસંયોજનાની વિધિ કહીં છે તે રીતે દર્શનમોહનીય ક્ષપણાની વિધિ પણ જાણવી.
ટીકાર્ય - હવે દર્શનમોહનીયની ક્ષપણા વિધિ કહે છે. અહીં દર્શનમોહનીયની ક્ષપણાની શરૂઆત કરનાર નિનછનિવ' = એટલે કે જિનેશ્વરનો કે કેવલીના કાલમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય જાણવાં. અહીં જિનકાલ તે પ્રથમ તીર્થંકર ઋષભદેવના વિહારકાલથી જંબુસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં સુધી જાણવો. તથા ૮ વર્ષની ઉપર વર્તતાં વજઋષભનારા સંઘયણવાળા હોય છે. અને દર્શનમોહનીયને વિષે પણ ક્ષપણા જે પ્રમાણે પૂર્વે અનંતાનુબંધિની વિસંયોજના કહીં તે જ પ્રમાણે કહેવી. આ પ્રમાણે સામાન્યથી કહ્યું છે તો પણ અહીં જે કંઇક વિશેષ છે તે કહે છે.
અહીં દર્શનમોહનીયની ક્ષપણા માટે તૈયાર થયેલ જીવ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે, અને તે પૂર્વની જેમ કહેવાં. વિશેષ એ છે કે અપૂર્વકરણના પ્રથમ સમયે નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વ અને મિશ્રનું દલિક ગુણસંક્રમણ વડે સમ્યકત્વમાં નાંખે છે. એ પ્રમાણે તે બન્નેનો ઉદ્દલનાસંક્રમ પણ કરે છે. પ્રથમ ઘણાં મોટા સ્થિતિખંડને ઉવેલે, તેથી બીજા સમયે વિશેષહીન, તેથી પણ ત્રીજા સમયે વિશેષહીન એ પ્રમાણે અપૂર્વકરણના અન્ય સમય સુધી જાણવું. અને તે ઉદ્દ્ગલના થતાં અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી તે અપૂર્વકરણના અન્ય સમયે સંખ્યાતગુણહીન સ્થિતિસત્તા થઇ. એ જ પ્રમાણે સ્થિતિબંધ પણ જાણવો. અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલો સ્થિતિબંધ હતો તે અપેક્ષાએ તે જ અપૂર્વકરણના અન્ય સમયે સંવેયગુણહીન થાય છે, એ પ્રમાણે અર્થ છે.
૨૬
સામાન્યથી સર્વત્ર અનિવૃત્તિકરણે ઉદ્દલના હોય છે. પણ દર્શનમોહ ક્ષપણાના અધિકારમાં કમ્મપયડી અને પંચસંગ્રહમાં અપૂર્વકરણે પણ ઉદૂવલના કહીં છે એટલી વિશેષતા જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364