Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 322
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૫ ત્યારપછી દર્શનત્રિકની જેટલી સ્થિતિસત્તા છે તેના સંખ્યાતા ભાગ કરી એક સંખ્યાતમો ભાગ બાકી રાખી શેષ સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. પુનઃ બાકી રહેલ સંખ્યાતમા ભાગના સંખ્યાતા ભાગો કરી એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એમ બાકી રહેલ સંખ્યાતમા ભાગના હજારો વાર સંખ્યાતા-સંખ્યાતા ભાગો કરી એક એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એ પ્રમાણે હજારો સ્થિતિઘાત ગયા પછી મિથ્યાત્વમોહનીયની જે સ્થિતિસત્તા છે તેના અસંખ્યાતા ભાગ કરી તેમાંથી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. પુનઃ શેષ રહેલ એક અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભાગ કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એ પ્રમાણે શેષ રહેલ મિથ્યાત્વના એક એક અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા-અસંખ્યાતા ભાગો કરી એક-એક અસંખ્યાતમો ભાગ બાકી રાખી શેષ બધા અસંખ્યાતભાગોનો નાશ કરે છે. એ રીતે ઘણાં સ્થિતિઘાતો થવાથી મિથ્યાત્વની સ્થિતિ માત્ર એક ઉદયાવલિકા પ્રમાણ રહે છે, અને શેષ સઘળી નાશ થઈ જાય છે. - જે સમયથી સત્તાગત મિથ્યાત્વની સ્થિતિના અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી અસંખ્યાતાઅસંખ્યાતા ભાગોનો નાશ કરવાની શરૂઆત કરી છે તે સમયથી મિશ્ર અને સમ્યકત્વમોહનીયના સત્તાગત સ્થિતિના સંખ્યાતા ભાગ કરી એક એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતભાગોનો નાશ કરે છે. એમ મિશ્ર તથા સમ્પર્કત્વમોહનીયના પણ ઘણાં સ્થિતિઘાતો વ્યતીત થાય છે અને જ્યારે મિથ્યાત્વની સ્થિતિ ઉદયાવલિકા પ્રમાણ રહે છે ત્યારે મિશ્ર તથા સમ્યકત્વમોહનીયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. દ્વિચરમ સ્થિતિખંડ સુધી સ્થિતિઘાતથી ઉતારેલ મિથ્યાત્વના દલિકોને નીચે સ્વમાં અને મિશ્ર તેમજ સમ્યકૃત્વમાં તથા મિશ્રમોહનીયના સ્થિતિઘાતથી ઉતારેલ દલિકોને સ્વમાં અને સભ્યત્વમાં નાંખે છે. તેમજ ચરમ સ્થિતિઘાતથી ઉતારેલ મિથ્યાત્વના દલિકોને મિશ્ર તથા સમ્યકત્વમોહનીયમાં અને મિશ્રમોહનીયના દલિકોને સમ્યકત્વમોહનીયમાં નાંખે છે. તેમજ સખ્યત્વમોહનીયના દલિકોને પોતાના ઉદયસમયથી ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે. મિથ્યાત્વની ઉદયાવલિકાને સ્ટિબુકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવી ભોગવી મિથ્યાત્વની સ્થિતિનો સંપૂર્ણ નાશ કરે છે. જે સમયે મિથ્યાત્વમોહનીયની માત્ર ઉદયાવલિકા જેટલી સ્થિતિ રહે છે, તે સમયથી સત્તાગત મિશ્ર અને સમ્યકત્વમોહનીયની સ્થિતિના અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. બાકી રહેલ એક અસંખ્યાતમા ભાગના પુનઃ અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એમ બાકી રહેલ અસંખ્યાતમા ભાગના વારંવાર અસંખ્યાતા ભાગો કરી એક એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ અસંખ્યાતા ભાગોનો નાશ કરી-કરી ઘણાં સ્થિતિઘાતો થયા બાદ મિશ્રમોહનીયની સ્થિતિસત્તા ઉદયાવલિકા પ્રમાણ રાખે છે. અને તે ઉદયાવલિકાને પણ તિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવી સત્તામાંથી દૂર કરે છે. - જે વખતે મિશ્રમોહનીયની ઉદયાવલિકા બાકી રહે છે તે વખતે સમ્યકત્વમોહનીયની સ્થિતિસત્તા આઠ વરસ પ્રમાણ રહે છે તે સમયથી તે આત્માના વિધ્વરૂપ સર્વઘાતી મિથ્યાત્વ અને મિશ્રનો સર્વથા ક્ષય થયેલ છે. અને સમ્યકત્વમોહનીયનો પણ અંતર્મુહૂર્તમાં અવશ્ય ક્ષય થવાનો હોવાથી નિશ્ચયનયના મતે તે આત્મા દર્શનમોહનો ક્ષપક કહેવાય છે. જે સમયે સમ્યકત્વમોહનીયની આઠ વર્ષ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે તે સમયથી સમ્યકત્વમોહનીયના દ્વિચરમ સ્થિતિખંડ સુધી અંતર્મુહૂર્તમાં અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમાણવાળા અનેક સ્થિતિખંડો ઉકેરી ઉકેરી નાશ કરે છે. આ દરેક સ્થિતિખંડો અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોવા છતાં અંતર્મુહૂર્તના અસંખ્યાત પ્રકારો હોવાથી પહેલા સ્થિતિખંડ કરતાં બીજો સ્થિતિખંડ અસંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેનાથી પણ ત્રીજો સ્થિતિખંડ અસંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. એમ ઢિચરમ સ્થિતિખંડ સુધી સઘળા સ્થિતિખંડો પૂર્વ-પૂર્વના સ્થિતિખંડ કરતાં અસંખ્યાતગુણ મોટા મોટા અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોય છે. આ પ્રમાણે આ ગ્રંથની ટીકા તેમજ પંચસંગ્રહની ટીકામાં બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ તથા પૂ.મલયગિરિજી કૃત ટીકામાં અસંખ્યાતગુણ મોટા મોટા બતાવેલ નથી પરંતુ સામાન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364