Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ અહીં વેદ્યમાન સઘળા કર્મોની ઉપરની સ્થિતિઓમાંથી ઘણાં દલિકો ઉતારી ગુણશ્રેણિમાં ગોઠવેલ હોવાથી અને ગુણશ્રેણિની ઉપરની સ્થિતિઓમાં દલિકો અલ્પ હોવાથી ઉદીરણાથી થોડા દલિકો ઉદયમાં આવે છે. અને તેની અપેક્ષાએ સ્વાભાવિક રીતે ઉદયમાં આવતાં દલિતો અસંખ્યાતગુણ હોય છે. આ રીતે નપુંસકવેદ ઉપશમ થયા બાદ હજારો સ્થિતિઘાત પ્રમાણ કાળમાં એજ ક્રમે સ્ત્રીવેદનો ઉપશમ કરે છે, પરંતુ સ્ત્રીવેદની ઉપશમન ક્રિયાના કાળનો સંખ્યાતમો ભાગ ગયા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાય આ ત્રણ ઘાતિ કર્મનો સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ કરે છે. ત્યારબાદ આ ત્રણે કર્મનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણહીન-હીન એટલે કે સંખ્યામા ભાગ પ્રમાણ કરે છે. અને હમણાં સુધી કેવલજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ આ સાત પ્રકૃતિઓનો જધન્ય દ્રિસ્થાનિક રસ બંધાતો હતો પરંતુ તેના બદલે જે સમયથી જ્ઞાનાવરણ વિગેરે ત્રણ કર્મનો સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે તે સમયથી એકસ્થાનિક રસબંધ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે સંપૂર્ણપણે સ્ત્રીવેદ ઉપશમી જાય છે, સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી તુરત જ હાસ્યપર્ક અને પુરુષવેદ આ સાત પ્રકૃતિઓની નપુંસકવેદની જેમ એકી સાથે ઉપશમન ક્રિયા શરૂ કરે છે. આ સાત પ્રકૃતિઓની ઉપશમન ક્રિયાના કાળનો એક સંખ્યાતમો ભાગ ગયા પછી નામ અને ગોત્ર આ બે કર્મનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે અને તે વખતે વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે. પણ તે વેદનીયકર્મનો અસંખ્યાતવર્ષ પ્રમાણ છેલ્લો સ્થિતિબંધ પૂર્ણ થયા પછી સર્વ કર્મનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે. હવે પછી પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ દરેક કર્મનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન-હીન અર્થાત સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થાય ત્યારે હાસ્યષકનો સંપૂર્ણ ઉપશમ થાય છે. અને જે સમયે હાસ્યષકનો સંપૂર્ણ ઉપશમ થાય છે, તે સમયે પુરુષવેદની પ્રથમસ્થિતિ એક સમય પ્રમાણ અને દ્વિતીય સ્થિતિમાં સમયનૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક છોડી શેષ સર્વ દલિક ઉપશમી જાય છે. અને તે સમયે પુરુષવેદનો ચરમ સ્થિતિબંધ સોળ વર્ષ પ્રમાણ થાય છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી હોય ત્યારે દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગ દ્વારા દલિકો પુરુષવેદની ઉદયાવલિકામાં આવતા નથી, માટે આગાલ બંધ પડે છે, પરંતુ ઉદીરણા ચાલુ હોય છે. તેમજ પ્રથમસ્થિતિ સમયગૂન બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થાય છે, માટે તે સમયથી હાસ્યષકના દલિકો પુરુષવેદમાં સંક્રમતા નથી પરંતુ સંક્રોધાદિમાં સંક્રમે છે તેમજ એક સમય પ્રમાણ પુરુષવેદની પ્રથમ સ્થિતિ ભોગવ્યા બાદ આત્મા અવેદક થાય છે.અને જે સમયે આત્મા અવેદક થાય છે તે સમયે દ્વિતીય સ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદનું દલિક અનપશાંત હોય છે. કારણ કે જે સમયે જે કર્મ બંધાય છે અથવા અન્ય પ્રકૃતિમાંથી સંક્રમીને આવે છે. તે સમયથી એક આવલિકા કાળ સુધી તેમાં કોઈ કરણ લાગતું નથી માટે બંધાવલિકા અથવા સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયથી તેને સંક્રમાવવાની અથવા ઉપશમાવવાની ક્રિયા શરૂ કરે છે.અને તેને સંપૂર્ણ સંક્રમાવતાં અથવા ઉપશમાવતાં બીજી આવલિકા પૂર્ણ થઈ જાય છે, અર્થાત્ બીજી આવલિકાના ચરમ સમયે સંપૂર્ણ સંક્રમ અથવા ઉપશમ થઈ જાય છે. દા. ત. આઠમા સમયે બંધવિચ્છેદ થાય તો નવમો સમય બંધવિચ્છેદ પછીનો સમય ગણાય. તેથી બંધ વિચ્છેદ પછીના સમયે એટલે નવમા સમયે શરૂઆતના પહેલા સમયે બંધાયેલ અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી આવેલ દલિકની (અસંખ્યાત સમય પ્રમાણ આવલિકાને પણ અસત્કલ્પનાએ ચાર સમયની ગણીએ તો) ચોથા સમયે બંધાવલિકા અથવા સંક્રમાવલિકા પૂર્ણ થવાથી પાંચમા સમયે સંક્રમ અથવા ઉપશમ શરૂ થાય અને તે આઠમા સમયે સંપૂર્ણ સંક્રમી અથવા ઉપશમી જાય. એ રીતે બીજા સમયે બંધાયેલ અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી આવેલ દલિકની બંધાવલિકા અથવા સંક્રમાવલિકા પાંચમા સમયે પૂર્ણ થાય, છઠ્ઠા સમયે તેનો સંક્રમ અથવા ઉપશમ કરવાની શરૂઆત કરે અને ચાર સમયાત્મક બીજી આવલિકાના ચરમ સમયે એટલે નવમા સમયે સંપૂર્ણ સંક્રમી જાય અથવા ઉપશમી જાય. પરંતુ ત્રીજા સમયે બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દલિકોનો નવમા સમય સુધી સંપૂર્ણ સંક્રમ અથવા ઉપશમ થતો નથી. તેથી ત્રીજા સમયે બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દલિક નવમા સમય સુધી સત્તામાં હોય છે, આ રીતે તે પછીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364