Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 346
________________ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી ૩૧૯ ઉ. સંભવતઃ મોહનીયકર્મની બધ્યમાન પ્રકૃતિઓનો છઠ્ઠા ગુણસ્થાનકથી દેશઘાતિ રસબંધ શરૂ થાય છે. માટે જ શ્રેણિમાં એ પ્રકૃતિઓનો દેશઘાતિ રસબંધ કયારે શરૂ થાય છે તે બતાવેલ નથી. એમ મોહનીયકર્મની પ્રકતિઓના ઉદય માટે પણ સમજવું. પ્ર. ૩૬ અંતરકરણના દલિકો કયાં નંખાય ? ઉ. જે પ્રકૃતિઓનો કેવળ ઉદય હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકો પોતાની પ્રથમ સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો કેવળ બંધ હોય તેઓના-દલિકો પોતાની બીજી સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો બંધ-ઉદય બન્ને ચાલુ હોય તેઓના દલિકો પોતાની પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિમાં અને જે પ્રકૃતિઓનો બંધ-ઉદય એકે ન હોય તેઓના અંતરકરણના દલિકો માત્ર બધ્યમાન સ્વજાતીય પરપ્રકૃતિમાં નાખે છે. પ્ર. ૩૭ બે સ્થિતિની વચ્ચે ખાલી જગ્યારૂપ આંતરુ એટલે કે જે અંતરકરણ છે, તે પ્રથમસ્થિતિ કરતાં નાનું હોય કે મોટું? ઉ. કર્મપ્રકૃતિ-મૂળ તથા ટીકામાં તો પ્રથમસ્થિતિ કરતાં ખાલી જગ્યારૂપ આંતરૂ ઘણાં મોટા અંતર્મુહુર્ત પ્રમાણ હોય એમ બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિચૂર્ણિમાં પ્રથમસ્થિતિથી આંતરૂ સંખ્યાતગુણ મોટું હોય એમ બતાવેલ છે. પ્ર. ૩૮ અલગ અલગ ત્રણ વેદોદયવાળા જીવો ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે સ્ત્રી તથા નપુંસકવેદની પ્રથમસ્થિતિ કરતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ કેટલી મોટી હોય ? સ્ત્રી કે નપુંસકવેદે શ્રેણિ માંડનારને આ બે વેદની પ્રથમસ્થિતિ જેટલી હોય છે તેના કરતાં પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદની પ્રથમસ્થિતિ પંચસંગ્રહમાં સંખ્યાતગુણ મોટી બતાવેલ છે. પરંતુ આ ગ્રંથની ચૂર્ણિમાં સંખ્યામભાગ અધિક બતાવેલ છે. પ્ર. ૩૯ માયાના બંધવિચ્છેદ પછી નવમા ગુણસ્થાનકના અંત સુધી કેવળ બાદરલોભનો જ ઉદય હોય છે, છતાં તે બાદર લોભોદયના ઉદયકાળના બે ભાગ પાડવાનું શું કારણ છે ? બાદર લોભોદય હોવા છતાં તેના પહેલા ભાગમાં અપૂર્વરૂદ્ધ કો કરવાની અને બીજા ભાગના કાળમાં સૂક્ષ્મકિટ્ટીઓ કરવાની-એમ અલગ અલગ બે જાતની ક્રિયાઓ થાય છે. તે સમજાવવા માટે બાદર લોભોદયના કાળના બે ભાગ પાડેલ છે. પ્ર. ૪૦ ઉપશમશ્રેણિમાં કઈ પ્રકૃતિના અપૂર્વસ્પદ્ધકો તથા કિટ્ટીઓ કરે ? ઉ. માત્ર સંજ્વલન લોભના અપૂર્વરૂદ્ધકો અને કિટ્ટીઓ કરે છે. પરંતુ અન્ય કોઈ પ્રકૃતિના નહીં, પ્ર. ૪૧ અગિયારમા ગુણસ્થાનકે કયા કયા કર્મના ઉદય-સત્તા તથા કયા કયા કિરણો પ્રવર્તે છે ? - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર અને અંતરાય આ પાંચ કર્મના ઉદય-સત્તા તથા અપવર્તના, તેમજ ઉદીરણા આ બે કરણો પ્રવર્તે છે. વેદનીયના ઉદય-સત્તા તથા બંધ અને અપવર્નના આ બે કરણ પ્રવર્તે છે. ચારિત્રમોહનીયની માત્ર સત્તા હોય છે. અને જો દર્શનમોહનીયની સત્તા હોય તો તેમાં અપવર્તન અને સંક્રમણ આ બે કરણો પણ પ્રવર્તે છે. તેમજ આયુષ્યના ઉદય-સત્તા અને અપવર્તના પ્રવર્તે છે. . પ્ર. ૪૨ કિઠ્ઠિઓ કુલ કેટલી કરે અને તે કિઠ્ઠિઓનો રસ પદ્ધકની સમાન હોય કે સ્પર્બ કથી ઓછો હોય ? એક સ્પર્ધ્વકની એક વર્ગણાના અનંતમા ભાગ પ્રમાણ અનંતી કિઠ્ઠિઓ કરે છે. દરેક સ્પર્ધ્વકની વર્ગણાઓ સમાન સંખ્યાવાલી હોય છે. તેથી તેમ કહેલ છે. તેમજ પૂર્વ સ્પર્ધ્વ કો કરતાં અનંતગુણહીન રસવાળા અને અનંતમાં ભાગ પ્રમાણ અપૂર્વ સ્પર્ધકો કરે છે. અને અપૂર્વ સ્પર્ધકોથી પણ અનંતગુણહીન રસવાળી અનંતમાભાગ જેટલી કિઠ્ઠિઓ કરે છે. અપૂર્વ પદ્ધકોમાં પૂર્વ સ્પર્ધકો કરતાં અનંતગુણહીન રસ હોવા છતાં દરેક વર્ગણાઓમાં એકોત્તર ચડતા રસાણુઓનો ક્રમ કાયમ રહે છે. પરંતુ કિક્રિઓમાં એકોત્તર ચડતા રસાણુઓના ક્રમનો નાશ કરી મોટું મોટું અંતર કરે છે. પ્ર. ૪૩ ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થતાં અને પડતાં ગુણશ્રેણિ સરખી થાય ? કે તેમાં કંઈ ફરક હોય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364