Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 321
________________ કર્મપ્રકૃતિ ભાગ - ૨ તેમજ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધિનો ઉદય ન હોવાથી એક ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિ રાખીને તેની ઉપર એક સ્થિતિબંધના કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાંથી અનંતાનુબંધિના દલિકો દૂર કરવાની ક્રિયા કરે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાં ભોગવવા યોગ્ય અનંતાનુબંધિના દલિકો ત્યાંથી લઈ બધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓમાં સંક્રમાવે છે, અને તેટલી જગ્યા દલિક વિનાની કરે છે. તેમ જ ઉદયાવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિનો વેદ્યમાન પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમ દ્વારા સંક્રમાવી સત્તામાંથી ક્ષય કરે છે. . ૨૯૪ જે સમયે અંત૨ક૨ણની ક્રિયા પૂર્ણ થાય છે, તેના પછીના સમયથી દ્વિતીયસ્થિતિમાં રહેલ સત્તાગત અનંતાનુબંધિના દલિકોને દરેક સમયે અસંખ્યાતગુણ ઉપશમાવતાં અંતર્મુહૂર્ત કાળમાં સંપૂર્ણ ઉપશાંત કરે છે. તેથી અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશાંતપણાના કાળમાં સંક્રમણ, ઉત્તના, અપવર્તના, ઉદીરણા, નિધિત્તિ અને નિકાચના આ છમાંથી કોઈપણ કરણો લાગતાં નથી, તેમજ પ્રદેશોદય કે ૨સોદય પણ થતો નથી. (પેઇઝ નંબર-૨૧૧માં યંત્ર નંબર-૧૩ જુઓ) -: ૫મું દર્શનત્રિક ક્ષપણા અધિકાર દ્વાર : જેમ દર્શનત્રિકની ઉપશમના કરી ઉપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણિ કરે છે. તેમ દર્શનત્રિકનો ક્ષય કરી ક્ષાયિક સમ્યક્ત્વી પણ ઉપશમશ્રેણિ કરે છે. માટે અહીં દર્શનત્રિકની ક્ષપણાનો અધિકાર પ્રસ્તુત છે. ત્યાં આ કાળ અને આ ક્ષેત્ર આશ્રયી શ્રી ઋષભદેવ ભગવાનના કેવલજ્ઞાનોત્પત્તિના સમયથી જંબુસ્વામીના કેવલજ્ઞાનોત્પત્તિ સુધીના કાળમાં અને સામાન્યથી સર્વ ક્ષેત્રોને આશ્રયી વિચારીએ તો જે કાળમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ શકે તે કાળમાં પ્રથમ સંઘયણી, ઓછામાં ઓછી આઠ વર્ષની વયવાળા, ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકવર્તી ક્ષયોપશમ સમ્યક્ત્વી મનુષ્યો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરી દર્શનત્રિકનો ક્ષય કરી શકે છે. સામાન્યથી ક૨ણોનું સ્વરૂપ ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિમાં જેમ બતાવવામાં આવેલ છે. તેમ અહીં પણ સમજવું, પરંતુ અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણમાં જે વિશેષતાઓ છે, તે હવે બતાવવામાં આવે છે. પ્રથમ ગુણઠાણે વિશુદ્ધિ અલ્પ હોવાથી જેટલાં કાળમાં અને જેટલાં પ્રમાણમાં સ્થિતિઘાતાદિ થતા હતા તેના કરતાં અહીં અનંતગુણ વિશુદ્ધિ હોવાથી નાના અંતર્મુહૂર્તમાં અને મોટા પ્રમાણમાં સ્થિતિઘાતાદિ કરે છે. તેમજ અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉલનાસંક્રમ તથા ગુણસંક્રમ થાય છે. પરંતુ દર્શન મોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો ન હોવાથી સમ્યક્ત્વમોહનીયનો કેવલ ઉલનાસંક્રમ પ્રવર્તે છે...અને સ્થિતિઘાતથી ઉપરથી ઉતારેલ દલિકોને સમ્યક્ત્વમોહનીયમાં જ ઉદયાવલિકાના પ્રથમ સમયથી ગુણશ્રેણિના પર્યન્તભાગ સુધી અસંખ્યાતગુણાકારે અને પછી વિશેષ હીન-હીન ગોઠવે છે. એમ અપૂર્વકરણમાં સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે. તેથી અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના શેષ કર્મોની જેટલી સ્થિતિસત્તા અને જેટલો નવીન સ્થિતિબંધ હોય છે તેની અપેક્ષાએ આ કરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યાતભાગ પ્રમાણ સ્થિતિસત્તા અને નવીન સ્થિતિબંધ હોય છે. એજ પ્રમાણે અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે પરંતુ આ કરણથી દર્શનત્રિકનો સંપૂર્ણ ક્ષય કરવાનો હોવાથી આ ત્રણે પ્રકૃતિઓના સ્થિતિઘાતાદિ ઘણાં મોટા પ્રમાણમાં થાય છે. તેમજ અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી દર્શનત્રિકમાં દેશોપશમના નિદ્ધત્તિ અને નિકાચના આ ત્રણમાંથી કોઈપણ કરણો લાગતાં નથી અર્થાત્ દર્શનત્રિકના સત્તાગત દલિકોમાં આ કરણના પ્રથમ સમયથી દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચના થતી નથી. આ કરણમાં ઘણાં હજારો સ્થિતિઘાત વ્યતીત થયા પછી અસંક્ષિપંચેન્દ્રિયની સ્થિતિસત્તા જેટલી દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે, ત્યાર પછી પુનઃ હજારો સ્થિતિઘાત થયા બાદ ચતુરિન્દ્રિય જીવોને જેટલી સ્થિતિસત્તા હોય છે તેટલી સ્થિતિસત્તા રહે છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા બાદ તેઇન્દ્રિયોને, પુનઃ હજારો સ્થિતિઘાત ગયા પછી બેઈન્દ્રિયોને અને ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થયા પછી એકેન્દ્રિયોને જેટલી સ્થિતિસત્તા હોય છે તેટલી દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા પછી પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા ચૂર્ણિકા૨ના મતે અને પંચસંગ્રહના મતે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા દર્શનત્રિકની રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364