Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 296
________________ ઉપશમનાકરણ ૨૬૯ उवसमसम्मत्तद्धा, अन्तो आउक्खया धुवं देवो । तिसु आउगेसु बद्धेसु, जेण सेढिं न आरुहइ ।। ६३ ।। उपशमसम्यवत्वाद्धा - ऽन्तरायुः क्षयाद् ध्रुवं देवः । ત્રિવાયુડુ વહે, વેન નારોદતિ / ૬૩ || ગાથાર્થ:- ટીકાની જેમ. ટીકાર્થ :- ઓપશમિક સમ્યકત્વના અદ્ધાની અંદર (કાળમાં) વર્તતો જો કોઈ આયુષ્યના ક્ષયથી કાલ કરે તો તે અવશ્ય દેવ થાય છે. અને જો સાસ્વાદન ભાવને પામ્યો છતો પણ જો કાલ કરે તો પણ દેવ જ થાય છે. જે કારણથી દેવ આયુષ્ય સિવાયના ત્રણ આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્ય બાંધેલ હોય તો ઉપશમશ્રેણિ ન કરે.' તેથી શ્રેણિમાં રહેલો અથવા શ્રેણિથી પડતો જીવ કોલ કરીને દેવ જ થાય છે उग्घाडियाणि करणाणि उदयठिइमाइगं इयरतुल्लं । एगभवे दुक्खुत्तो, चरित्तमोहं उवसमेज्जा ।। ६४ ॥ उद्घाटितानि करणानि, उदयस्थित्यादिकमितरतुल्यम् । • હમ દિવૃત્વ - શારિત્રમોદકુપીમતિ / ૬૪ | ગાથાર્થ:- ટીકાની જેમ. ટીકાર્ય :- ઉપશમશ્રેણિથી ચઢતાં જે જે સ્થાને જે જે બંધનાદિ કરણો વિચ્છેદ પામ્યા હતા તે તે સ્થાનોને પ્રાપ્ત થયેલા ઉપશમણિથી પડતાં જીવને તે તે કરણો પ્રગટ થાય છે, અર્થાત્ પ્રવર્તે છે. તથા ઉદયસ્થિત્યાદિક અર્થાત્ ઉદય સ્થિતિબંધ વિગેરે ઇતર તુલ્ય છે, અર્થાત્ ઉપશમશ્રેણિએ ચઢતાં થનાર ઉદયાવલિ તુલ્ય છે, અર્થાત્ જેમ ઉપશમશ્રેણિએ ચિત્ર નંબર-૨૧ની સમજુતી :- આ ચિત્રમાં ઉપશમશ્રેણિએ ચઢેલ જીવ જ્યારે શ્રેણિથી પડે ત્યારે જે અનુદયવતી અર્થાતું નહીં વેદાતી અથવા ઉદયમાં ન આવેલી પ્રકૃતિઓને કેવી રીતે અનુભવે અને દ્વિતીય સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિમાં દલિક નિક્ષેપ કેવી રીતે કરે તે બતાવ્યું છે. અહીં પ્રકૃતિઓનું વેદન ન થતું હોવાથી અર્થાત્ ઉદયનો અભાવ હોવાથી પ્રથમ ઉદયાવલિકારૂપ ૬ બિંદુમાં નિક્ષેપ થાય નહીં, પરંતુ ઉદયાવલિકા પછીના ૭મા બિંદુમાં જે દલિક નિક્ષેપ કરે તે દલિકો અનંતા છે, પણ દ્વિતીયસ્થાનમાં રહેલ દલિક અપેક્ષાએ અસંખ્યાતમા ભાગના દલિકોનો નિક્ષેપ કરે. તેથી બીજા આદિ સમયે જે ચિત્રમાં અધિક અધિક દલિક બતાવ્યા છે તે અસંખ્યયગુણ દલિક નિક્ષેપ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શીર્ષ (૧૬માં બિંદુરૂપ) આવે. પછીના સમયે (૧૭માં બિંદુમાં) જે નિક્ષેપ કરે તે અસંખ્યાતમાં ભાગનું એટલે અસંખ્યયગુણહીન નિક્ષેપ કરે કારણ કે ગુણશ્રેણિના શીર્ષ સુધી અસંખ્યયગુણ નિક્ષેપ કર્યો હતો તેના કારણે શીખર પૂર્ણ થયા પછીના સમયે અસંખ્યાતમા ભાગે એટલે અસંખ્ય ગુણહીન નિક્ષેપ કરે છે. ત્યાર પછી દ્વિતીય સ્થિતિ શરૂ ન થાય ત્યાં સુધી (૩૧મા બિંદુ સુધી) ક્રમથી વિશેષહીન વિશેષહીન દલિક નિક્ષેપ કરે. અહીં ૭ થી ૩૧ બિંદુ સુધી પ્રથમસ્થિતિના અંતર પુરવા માટેના છે. અને ગુણશ્રેણિ વિભાગ પણ ઉદયાવલિકા સિવાયના ૭ થી ૩૧ = ૨૫ બિંદુરૂપ છે. (ઇતિ ચિત્ર નંબર-૨૧ની સમજુતી સમાપ્ત). ૬૦ અહીં પંચસંગ્રહમાં ગાથા-૮૫ની ટીકામાં સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય. તથા તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય ૯ સૂત્ર ૪૯ના ભાષ્ય તથા ટીકામાં જધન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ બતાવેલ છે. માટે મતાન્તર જણાય છે. પરભવાય બાંધ્યા વિના પણ ઉપશમશ્રેણિ પર ચડી શકે તે અંતરકરણ ખલાસ થયા પછી આયુષ્ય બાંધી શકે છે. જ્યાં સુધી મિથ્યાત્વમોહનો ઉદય ન થાય અથવા જ્યાં સુધી માયોપશમિક સમ્યકત્વ ન પામે ત્યાં સુધી અંતરકરણ છે. તે કાળમાં મરણ પામે તો એવયે દેવ જે થાય છે. આયુષ્ય બાંધ્યા વિના ઉપશમશ્રેણિ માંડી હોય તો ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને અથવા મિથ્યાત્વ ભાવ પામીને જ અધ્યવસાયાનુસારે આયુષ્ય બાંધે છે. મિથ્યાત્વમોહનો ઉદય થાય ત્યારે અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી સમ્યક્ત્વમોહનો ઉદય થાય ત્યારે અંતરકરણ ખલાસ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364