Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
૨૮૬
કર્મપ્રકૃતિ ભાગ - ૨ (૪) સ્વભૂમિકાનુસાર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ યોગે બધ્યમાન પ્રકૃતિઓનો સ્વભૂમિકાનુસાર ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
(૫) જો સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મનુષ્યો અથવા તિયો હોય તો સુડતાલીસ ધ્રુવબંધી પ્રવૃતિઓ અને સાતવેદનીય, હાસ્ય-રતિ, પુરુષવેદ, ઉચ્ચગોત્ર આ પાંચ તેમજ દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, પ્રથમસંસ્થાન, શુભવિહાયોગતિ, ઉચ્છવાસ, પરાઘાત અને ત્રસદસક આ ઓગણીસ નામકર્મની એમ કુલ પરાવર્તમાન ચોવીસ પ્રકૃતિઓને બાંધે છે. પણ જો દેવો અને નારકો હોય તો ધ્રુવબંધી સુડતાલીસ, સાતાવેદનીય, હાસ્ય-રતિ. પુરુષવેદ, ઉચ્ચગોત્ર, આ પાંચ તેમજ મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, દારિકદ્ધિક, પ્રથમસંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ અને ત્રસદશક આ વીસ નામકર્મની એમ કુલ પરાવર્તમાન પચ્ચીસ પ્રવૃતિઓ બાંધે છે. પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર જો સાતમી નરક પૃથ્વીના નારકો હોય તો તેઓ મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનો બંધ જ કરતા ન હોવાથી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રના બદલે તિર્યંચદ્ધિક અને નીચગોત્ર સહિત પચ્ચીસ અથવા ઉદ્યોતનો બંધ કરે તો છવ્વીસ પરાવર્તમાન પ્રકૃતિઓ બાંધે છે.
આયુષ્ય ઘોલના અર્થાતુ ચડતાં - ઉતરતાં પરિણામે બંધાય છે. પરંતુ અહીં એકધારા ચડતાં પરિણામ હોવાથી આયુષ્યની કોઇપણ પ્રકૃતિ બાંધતા નથી. | સામાન્યથી એક અંતર્મુહૂર્ત સુધી સમાન સ્થિતિબંધ થતો હોવાથી તે એક સ્થિતિબંધ કહેવાય છે. અને અંતર્મુહર્ત પછી સંફિલષ્ટ અથવા વિશુદ્ધ પરિણામના અનુસારે ક્રમશઃ વધારે અથવા ઓછો સ્થિતિબંધ થાય છે. પરંતુ અહીં ક્રમશઃ ચડતાં વિશુદ્ધ પરિણામ હોવાથી પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ કરી તે-તે સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન-ન્યૂય નવો-નવો સ્થિતિબંધ કરે છે.
(૭) દરેક સમયે બંધાતી શુભપ્રકૃતિઓનો રસ પૂર્વ-પૂર્વના સમયથી અનંતગુણ અધિક-અધિક અને અશુભ પ્રકૃતિઓનો અનંતગુણ હીન-હીન બાંધે છે.
આ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળ રહી પછી યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ આ ત્રણ કરણો કરે છે. અને દરેકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં એક સાથે પ્રવેશ કરેલ જીવોને દરેક સમયે વિશુદ્ધિમાં તરતમતા હોય છે.. માટે દરેક સમયે ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ ચડતાં ઉતરતાં અધ્યવસાયો હોય છે...અને આ બંને કરણોના પ્રભાવથી મોહનીયકર્મનો તેવા જ વિચિત્ર પ્રકારનો ક્ષયોપશમ થાય છે. કે જેથી પછી પછીના સમયમાં અધ્યવસાયો થોડા અધિક અધિક હોય છે અને સંપૂર્ણ એક અથવા બન્ને કરણોના કુલ અધ્યવસાયો પણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. પરંતુ એક સમયવર્તી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોની અપેક્ષાએ સંપૂર્ણ કરણગત અધ્યવસાયોની સંખ્યા અસંખ્યગુણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે...આ હકીકત કંઈક સહેલાઈથી સમજી શકાય માટે અસત્કલ્પનાથી બતાવવામાં આવે છે...
યથાપ્રવૃત્તકરણ :- કરણકાળનું અંતર્મુહૂર્ત અસંખ્યાત સમયનું હોવા છતાં અસત્કલ્પનાએ ૨૫ સમય પ્રમાણ, પ્રથમ સમયના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોની સંખ્યા એકસો(૧૦૦) અને પછી પછીના સમયે થોડા વધારે વધારે એટલે પાંચ-પાંચ વધારે કલ્પીએ તો યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે ત્રિકાલવર્તી સર્વજીવો આશ્રયી એકસો, બીજા સમયે એકસો પાંચ, ત્રીજા સમયે એકસોદસ અધ્યવસાયો હોય, એમ પછી પછીના સમયે સમયે પાંચ-પાંચ અધ્યવસાયો અધિક અધિક હોવાથી પચ્ચીસ સમયાત્મક અંતર્મુહૂર્તના ચરમ સમયે અર્થાત્ પચ્ચીસમા સમયે અનેક જીવો આશ્રયી-કુલ બસોવીસ (૨૨૦) અધ્યવસાયો હોય છે.
અહીં તિર્યમુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે...પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે તેમાં પહેલો અધ્યવસાય સૌથી અલ્પ વિશુદ્ધિવાળો અને તેની અપેક્ષાએ ૧૦૦મો અધ્યવસાય અનંતગણ અધિક વિશુદ્ધિવાળો હોય છે. તેથી પહેલા નંબરના અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ છેલ્લા અધ્યવસાય સુધીના અધ્યવસાયોમાંના કેટલાક અધ્યવસાયો અનંતભાગ અધિક, કેટલાક અસંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાતગુણ અધિક, કેટલાક અસંખ્યાતગુણ અધિક અને અને કેટલાક છેલ્લા અધ્યવસાયો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364