Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 314
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૮૭ એજ પ્રમાણે બીજા સમયના એકથી એકસો પાંચ સુધીના જે અધ્યવસાયો છે. તેમાં પ્રથમ અધ્યવસાય બીજા વિગેરે અધ્યવસાયોથી અલ્પવિશુદ્ધિવાળો છે અને તેજ પહેલા સમયની વિશુદ્ધિની અપેક્ષાએ એકસોપાંચમા અધ્યવસાય સુધીના અધ્યવસાયોમાંના કેટલાક અધ્યવસાયો અનંતભાગ અધિક, કેટલાક અસંખ્યાતભાગ, કેટલાક સંખ્યાતભાગ, કેટલાક સંખ્યાતગુણ, કેટલાક અસંખ્યાતગુણ અને કેટલાક છેલ્લા અધ્યવસાયો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે....એ પ્રમાણે યથાપ્રવૃતકરણના ચરમસમય સુધી દરેક સમયના અધ્યવસાયોમાં સૂક્ષ્મદષ્ટિએ અસંખ્યાત પ્રકારની તરતમતા હોવા છતાં સ્કૂલદૃષ્ટિએ છ-છ પ્રકારની તરતમતા હોય છે....આ તિર્યમ્મુખી વિશુદ્ધિ કહેવાય છે... પહેલા-પહેલાના સમયના અધ્યવસાયોની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તરોત્તર પછી-પછીના સમયોની વિશુદ્ધિ પણ સામાન્યથી અનંતગુણ હોય છે....તેને ઊર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે. યથાપ્રવૃત્તકરણમાં પૂર્વ-પૂર્વ સમયો અધ્યવસાયોથી પછી-પછીના સમયમાં બધા અધ્યવસાયો નવા હોતા નથી. તેમજ પૂર્વ-પૂર્વ સમયના બધા અધ્યવસાયો પછી-પછીના સમયમાં આવતા પણ નથી. પરંતુ પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયોમાંથી શરૂઆતના અલ્પ વિશુદ્ધિવાળા થોડા-થોડા અધ્યવસાયો છોડે છે. અને જેટલાં છોડે છે તેનાથી થોડા વધારે સંખ્યા પ્રમાણ નવા-નવા અધ્યવસાયો પછી-પછીના સમયમાં હોય છે. તે આ પ્રમાણે પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે તેમાંથી એકથી વીસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના જે એકવીસથી સો સુધીના કુલ એંસી અને પચ્ચીસ તેનાથી અધિક વિશુદ્ધિવાળા નવા-એમ કુલ એકસો પાંચ અધ્યવસાયો બીજા સમયમાં હોય છે. તેમાંથી પ્રથમ સમયના એકવીસથી ચાલીસ સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના સાઠ અને પચ્ચાસ નવા એમ એકસોદસ અધ્યવસાયો ત્રીજા સમયમાં હોય છે તેમાંથી પ્રથમ સમયના એકતાલીસથી સાઠ સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના ચાલીસ અને પંચોતેર નવા એમ કુલ એકસો પંદર અધ્યવસાયો ચોથા સમયમાં હોય છે. અને તેમાંથી પણ પ્રથમ સમયના એકસઠથી એંસી સુધીના વીસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના એકાસી થી સો સુધીના વીસ અધ્યવસાયો અને એકસો નવા એમ કુલ એકસોવીસ અધ્યવસાયો પાંચમા સમયમાં હોય છે. એટલે ૨૫ સમયાત્મક યથાપ્રવૃતકરણના પાંચ-પાંચ સમય પ્રમાણ પાંચ ભાગ પાડીએ તો પ્રથમ સમયના અધ્યવસાયો પાંચ સમય સ્વરૂપ યથાપ્રવૃતકરણના પ્રથમ સંખ્યાતમા ભાગના ચરમ સમયરૂપ પાંચમા સમય સુધી હોય છે. બીજા સમયના છઠ્ઠા સમય સુધી, ત્રીજા સમયના સાતમા સમય સુધી, ચોથાના આઠમા સુધી, પાંચમાના નવમા સુધી, છઠ્ઠાના દસમા સુધી-એમ યાત્ત એકવીસમા સમયના અધ્યવસાયોમાંના અમુક અધ્યવસાયો યથાપ્રવૃત્તકરણના ચરમ સમયરૂપ ૨૫ સમય સુધી હોય છે. તેથી યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુદ્ધિથી યથાપ્રવૃત્તકરણના પ્રથમના પાંચ સમય સ્વરૂપ સંખ્યામાં ભાગમાંના ચરમ સમયરૂપ પાંચમા સમય સુધી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સમયના અધ્યવસાયસ્થાનની જઘન્ય વિશુદ્ધિ ક્રમશઃ એક-એકથી અનંતગુણ અધિક હોય છે. તે પાંચમા સમયના અધ્યવસાયની જઘન્ય વિશુદ્ધિથી પ્રથમ સમયના અધ્યવસાયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તે થકી સંખ્યાતભાગ સ્વરૂપ પાંચ સમયથી ઉપરના છઠ્ઠા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તે થકી શરૂઆતના બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તે થકી સંખ્યાતભાગના ઉપરના બીજા અર્થાત્ સાતમા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તેનાથી પ્રથમના ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે....એમ ઉપર ઉપરના એક-એક સમયની જઘન્ય અને શરૂઆતના ઉપર-ઉપરના એક એક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગણ અધિક અધિક હોવાથી વીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી યથાપ્રવૃતકરણના ચરમ સમયરૂપ પચ્ચીસમા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે..... અહીં સર્વ સમયોના અધ્યવસાયસ્થાનોની જઘન્ય વિશુદ્ધિ પૂર્ણ થાય છે....પરંતુ છેલ્લા ઉપરના એકવીસથી પચ્ચીસ સુધીના પાંચ સમય સ્વરૂપ અંતિમ સંખ્યાતભાગના સમય પ્રમાણ અધ્યવસાયોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ બાકી રહે છે....માટે પચ્ચીસમા સમયની જઘન્ય વિશુદ્ધિ થકી ચરમ સંખ્યાતમા ભાગના પ્રથમ સમયની અર્થાત્ એકવીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તે થકી બાવીસ-ત્રેવીસ-ચોવીસ અને પચ્ચીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે એક-એકથી અનંતગુણ હોય છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364