Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 297
________________ ૨૭૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ ચઢતાં જ્યાં જ્યાં વિચ્છેદ થાય છે તેમ પડતાં તે તે સ્થાને તેની પ્રવૃત્તિ થાય છે. અને તે તો પૂર્વે પણ અર્થ પ્રસંગથી કહ્યું તથા એક ભવમાં બે વાર ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે, અર્થાત્ ઉપશમશ્રેણિને સ્વીકારે છે, પરંતુ ત્રીજી વખત ઉપશમશ્રેણિ કરે નહીં. અને બે વખત ઉપશમશ્રેણિને સ્વીકારે તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણિને સ્વીકારે નહીં. અને જે એકવાર ઉપશમશ્રેણિને સ્વીકારે તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણિ કરે, આ કર્મગ્રંથનો અભિપ્રાય છે. આગમના અભિપ્રાયથી તો એક ભવમાં ઉપશમ અને ક્ષેપક એ બે માંથી એક જ શ્રેણિ પર ચઢી શકે છે, પરંતુ બે શ્રેણિ ન પામે. કહ્યું છે કે ગન વિન્ન મન જ સવાર' રવિ- બેમાંથી એક શ્રેણિ સિવાય એક ભવમાં દેશવિરતિ સર્વવિરતિ ચારિત્ર વિગેરે સર્વ પ્રાપ્ત કરી શકે છે. . उदयं वज्जिय इत्थी, इत्थिं समयइ अवेयगा सत्त । તદ વરસવો રિસિિચં સમ કાર | દુધ उदयं वयित्वा स्त्री, स्त्रियं शमयत्यवेदकाः सप्तः । તથા વર્ષવરો વર્ષવસ્ત્રિયો સવં મારઘે દવા | ગાથાર્થ - અન્ય સમય માત્ર ઉદય સ્થિતિ સિવાયનું સર્વ સ્ત્રીવેદ દલિક જેનું ઉપશાન્ત થયું છે એવી ઉપશમશ્રેણિગત સ્ત્રી તે સમકાળે સાત પ્રકૃતિઓને ઉપશમાવવા માંડે છે. તથા તેવી જ રીતે (નપુંસકવેદની એક ઉદયસ્થિતિ વર્જીને) નપુંસકવેદને અને સ્ત્રીવેદને સમકાળે ક્રમપૂર્વક ઉપશમનાનો પ્રારંભ કર્યો છતે ઉપશમાવે છે. ટીકાર્થ :- આ પુરુષવેદ ઉદયથી ઉપશમશ્રેણિ સ્વીકારનારની વિધિ કહીં. હવે સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયથી ઉપશમશ્રેણિ સ્વીકારનાર જીવની વિધિ કહે છે... અહીં જો સ્ત્રી ઉપશમશ્રેણિને સ્વીકાર કરે તો પ્રથમથી નપુંસકવેદને ઉપશમાવે પછી સ્ત્રીવેદને ઉપશમાવે, અને તે ત્યાં સુધી ઉપશમાવે કે જ્યાં સુધી પોતાના ઉદયનો ઉપાજ્ય સમય પ્રાપ્ત થાય, અને તે સમયે એક અન્ય સમય માત્ર ઉદય સ્થિતિને છોડીને સર્વ પણ સ્ત્રીવેદ સંબંધી દલિકને ઉપશમાવે છે. પછી અન્ય સમય પસાર થયે છતે અવેદક થઇ પુરુષવેદ હાસ્યાદિ-૬ એ ૭ પ્રકૃતિઓ એકી સાથે ઉપશમના કરવા માટે તત્પર થાય. બાકીનું પુરુષવેદ સહિત શ્રેણિ સ્વીકારનારની જેમ જ ભાવવું. ર્ષવર' એટલે નપુંસક ઉપશમશ્રેણિનો સ્વીકાર કરે તો તે પ્રમાણે એક ઉદય સ્થિતિને મૂકીને “સમ' એટલે સમકાળે નપુંસકવેદને અને સ્ત્રીવેદને ઉપશમાવે છે. “માર' રૂતિ એ અનુક્રમે ઉપશમના પ્રારંભ કરે છતે સંપ્રદાય આ પ્રમાણે છે.... સ્ત્રીવેદ અને પુરુષવેદ સહિત ઉપશમશ્રેણિનો સ્વીકારનાર જીવને જે સ્થાને નપુંસકવેદ ઉપશમાવે છે તેટલે સુધી તો નપુંસકવેદ ઉપશમશ્રેણિને પામ્યો છતો ફક્ત નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાંથી આગળ તો નપુંસકવેદ અને સ્ત્રીવેદ એકી સાથે ઉપશમાવવા માંડે છે. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી નપુંસકવેદોદયના કાળનો ઉપાજ્ય સમય આવે. અને તે સમયે સ્ત્રીવેદ ઉપશાંત થાય છે. અને નપુંસકવેદની એક સમયમાત્ર ઉદય સ્થિતિ જ બાકી રહે છે. બાકીનું સર્વ ઉપશાંત થયેલ છે. તે ઉદય સ્થિતિ પણ પસાર થયે છતે અવેદક થઇને પુરુષવેદ આદિ-૭ પ્રકૃતિઓ એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. બાકીનું તે જ પ્રમાણે છે. (યંત્ર નંબર-૧૮ જુઓ) ઇતિ ૭મું ચારિત્રમોહનીય સર્વોપશમના દ્વાર સમાપ્ત ૬૨ અન્યત્ર પણ કહ્યું છે “એક ભવમાં મોહનો ઉપશમ ઉપરા ઉપરી બે વાર થાય, પરંતુ જે ભવમાં મોહનો સર્વોપશમ થયો હોય તે ભવમાં મોહનો સર્વથા ક્ષય ન થાય.” સ્ત્રીવેદ- નપુંસકવેદથી શ્રેણિ માંડનાર જીવને પુરુષવેદથી શ્રેણિ માંડનારને જ્યાં સ્ત્રીવેદ સર્વથા ઉપશાંત થાય, તે વખતે જેટલો સ્થિતિબંધ થાય તેટલો સ્થિતિબંધ સ્ત્રી-નપુંસકવેદના ઉદયના ચરમ સમયે પુરુષવેદનો છેલ્લા બંધમાં થાય છે. તે પછીના સમયમાં પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, અને ૭ નોકષાય સાથે ઉપશમાવવાના શરૂ કરે છે. અને સાથે ઉપશમાવીને પૂર્ણ કરે છે. તેથી ક્રોધની ઉપશમના ચાલુ કરે તે વખતે પુરુષવેદની સમયોન ૨ આવલિકા ઉપશમાવવાની બાકી રહેતી નથી. પુરુષવેદનો અહીં જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364