Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 271
________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ ૪૨ ૪૩ ટીકાર્થ :- આ વિશેષ છે - ૬ નોકષાયને ઉપશમાવતાં જે સમયે ૬ નોકષાય ઉપશાંત થાય છે તે સમયે પુરુષવેદની પ્રથમસ્થિતિમાં રહેલ બાકીની એક જ ઉદય સ્થિતિ સમયમાત્ર બાકી રહે છે. અને ત્યારે પુરુષવેદનો સ્થિતિબંધ ૧૬ વર્ષનો અને સંજ્વલનનો સંધ્યેય હજાર વર્ષનો છે. તથા પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં બે આવલિકા બાકી રહે ત્યારે પૂર્વ કહેલ સ્વરૂપવાળો આગાલ વિચ્છેદ પામે છે, અને ઉદીરણા જ પ્રવર્તે છે. તથા પુરુષર્વેદના આગાલ વિચ્છેદ સમયે જ બાકી રહેલ લિક સંક્રમના આધાર લક્ષણ પતદ્મહતાનો પણ વિચ્છેદ થાય છે. તેથી નોકષાય સંબંધી ઘણાં લિક પુરુષર્વેદમાં ન *સંક્રમાવે પરંતુ સંજ્વલનને વિષે સંક્રમાવે છે. અને જ્યારે પુરુષવેદ સંબંધી બાકી રહેલી એક ઉદયસ્થિતિ પણ અતિક્રાન્ત થાય છે ત્યારે આ જીવ અવેદી થાય છે. ૨૪૪ વેદક અજ્ઞાના પ્રથમ સમયે બે સમયોન બે આવલિકા સુધીનું બાંધેલું જે દલિક તે જ ફક્ત ઉપશાન્ત નથી, બાકીનું સર્વ પણ નપુંસકવેદમાં કહેલ પ્રકારે ઉપશાન્ત થાય છે. જે પણ અન્ય પુરુષવેદનો ૧૬ વર્ષનો સ્થિતિબંધ તે પણ પ્રથમસ્થિતિના અન્ય સમય ભાવિ અન્ય ઉદય સાથે જાય છે. જે પણ બે સમયોન બે આલિકા કાલે બાંધેલું દલિક અનુપશાન્ત છે તે પણ તેટલાં કાલે એટલે કે બે સમર્યાન બે આવલિકા પ્રમાણ કાલવડે ઉપશમાવે છે, એ પ્રમાણે અર્થ છે. અને તે ઉપશમના વિધિ આ પ્રમાણે છે. પ્રથમ સમયે અલ્પ દલિયા ઉપશમાવે છે, બીજા સમયે અસંખ્યેયગુણ, ત્રીજા સમયે અસંખ્યેયગુણ એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી બે સમયોન બે આવલિકાનો છેલ્લો સમય આવે. અને પરપ્રકૃતિને વિષે બે સમયોન બે આવલિકા સુધી દરેક સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયે ઘણાં, બીજા સમયે વિશેષહીન, ત્રીજા સમયે વિશેષહીન, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સમય આવે. પછી પુરુષવેદ ઉપશાન્ત થાય છે. અને ત્યારે સંજ્વલનનો અંતર્મુહૂર્ત ન્યૂન ૩૨ વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને બાકીના જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાય - વેદનીય - નામ - ગોત્રનો સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૭૦માં કહ્યું છે. - વન્યો વત્તીસસમા સંગળિયરાળ ૩ સહસ્સા'' || (અર્થ - સંજ્વલન કષાયોનો ૩૨ વર્ષ પ્રમાણ બંધ થાય છે, અને ઈતર કર્મનો સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ બંધ થાય છે.) (જ્યારે અહીં સંજ્વલનનો અંતર્મુહૂર્ત ન્યૂન ૩૨ વર્ષ બંધ કહ્યો છે. ચૂર્ણિકારે પણ તે જ પ્રમાણે કહ્યું છે. तिविहमवेओ कोहं, कमेण सेसे वि तिविहतिविहे वि । પુરિસસના સંગતના, પરિર્ફે આનિયા અહિ || ૪૮ || त्रिविधमवेदकः क्रोधं, शेषानपि त्रिविधत्रिविधानपि । પુરુષસમા: સંતના, પ્રથમસ્થિતિાનિાવિયા || ૪૮ || ૪૨ ૪૩ ૪૪ પમા-૬ઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં તો જે સમયે નોકષાય ઉપશાંત થાય તે જ સમયે પુરુષવેદનો ઉદય-બંધાદિ વિચ્છેદ પામે એમ કહ્યું છે. જ્યારે પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિની બન્ને ટીકામાં સમયમાત્ર સ્થિતિ બાકી રહે એમ કહ્યું છે. અહીં પુરુષવેદના ૧૬ વર્ષના સ્થિતિબંધ વખતે સંજ્વલન - ૪નો ૩૨ વર્ષનો સ્થિતિબંધ અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષનો બતાવવો જોઇએ. કારણ કે મોહનીય સાથે શેષ કર્મોના સ્થિતિબંધ દરેક ઠેકાણે બતાવવામાં આવેલ છે. તેથી ‘‘વીસસના સેસવમ્મા'' આટલું વચ્ચેથી છૂટી ગયું લાગે છે. કેમ કે આગળનો સ્થિતિબંધ કર્મપ્રકૃતિ પૂર્ણિમાં અંતર્મુહૂર્ત ન્યૂન ૩૨ વર્ષ વગેરે બતાવેલ છે, અને કાષપ્રાકૃતમાં તો સાક્ષાત્ પુરુષવેદના ૧૬ વર્ષના સ્થિતિબંધ વખતે સંજ્વલન - ૪ નો ૩૨ વર્ષનો સ્થિતિબંધ બતાવેલ છે. સંક્રમણકરણ ગાથા-૧૧ની ટીકામાં કહ્યા પ્રમાણે સમય ન્યૂન બે આવલિકા રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ તરીકે રહેતો નથી પરંતુ તેની પતદ્મહતા નાશ પામે છે. કારણ કે બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે એમ કહે છે. જો પતહ તરીકે કાયમ રહે તો જેમ બંધાયેલું બાકી રહે છે તેમ સંક્રમથી આવેલું પણ બાકી રહેવું જોઈએ. અહીં એવો ક્રમ છે કે જે જે સમયે બંધાય છે અને જે અન્યના સંક્રમથી આવે છે તે તે સમયથી આરંભી એક આલિકા તે જ અવસ્થામાં પડ્યું રહે છે, તેમાં કોઈ કરણ લાગતું નથી. આવલિકા પૂર્ણ થયા પછી ઉપશમવા અગર સંક્રમવા માંડે છે, તે એક આવલિકા કાળે શાન્ત થઈ જાય છે. દાખલા તરીકે જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, તે સમયથી ૮મા સમયે (અહીં આવલિકાના ચાર સમય કલ્પ્યા છે.) જે બંધાયું અગર અન્યનું સંક્રમથી આવ્યું તે દલિક તે સમયથી એક આવલિકા તો તે જ અવસ્થામાં પડ્યું રહે છે, આવલિકા પૂર્ણ થયા બાદ તેની ઉપશમના અને અન્યમાં સંક્રમ થવા માંડે તે બંધવિચ્છેદ સમયે ખલાસ થાય. હવે જે સમયે બંધવિચ્છેદ થાય છે તે સમયથી ૭મા સમયે જે બંધાયેલું છે તે બંધવિચ્છેદ પછીના સમયે શાન્ત થાય છે. પરંતુ જો પતદ્મહતા નષ્ટ ન થાય અને સંક્રમથી આવવાનું ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી બંધાયેલા દલિકની જેમ સંક્રમથી આવેલ દલિક પણ શેષ રહે અને બંધાયેલું દલિક જેમ બંધવિચ્છેદ પછીના સમયે ઉપશમે છે તેમ સંક્રમેલુ દલિક પણ ઉપશમે. પરંતુ તેમ કહેતા નથી પણ બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ બાકી રહે છે એમ કહે છે. એટલે પ્રથમસ્થિતિની સમય ન્યૂન બે આવલિકા બાકી રહે અને પતદ્મહતા નષ્ટ થાય એમ કહ્યું છે. અહીં જે સમયે આગાલ બંધ પડે છે તે સમયથી પતદ્મહતા નાશ પામે છે તેમ કહે છે, આગાલ પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે નષ્ટ થાય છે. એ હિસાબે પતદ્મહતા પ્રથમસ્થિતિની બે આવલિકા રહી ત્યારથી બંધ પડી એમ થાય છે. સંક્રમણકરણમાં સમય ન્યૂન બે આવલિકા પ્રથમસ્થિતિ શેષ રહે ત્યારે પતદ્મહતા નષ્ટ થાય તેમ કહ્યું છે. તત્ત્વ કેવલિ ગમ્ય. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364