Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 272
________________ ઉપશમનાકરણ ૨૪૫ ગાથાર્થ :- એવેદક થયો છતો જીવ ત્રણ પ્રકારના ક્રોધને ઉપશમાવે છે. અને એ રીતે શેષ ૩ કષાયોના ત્રણ ત્રણ પ્રકારને (૩માન - ૩માયા - ૩લોભને) પણ ઉપશમાવે છે. ત્યાં સંજ્વલનની ઉપશમના પુરુષવેદની જેમ (શેષની નોકષાયવતું) જાણવી. પરંતુ પ્રથમસ્થિતિ આવલિકા અધિક છે. ટીકાર્ય :- જે સમયે પુરુષવેદનો અવેદક થાય છે તે જ સમયથી શરૂ કરીને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ - સંજવલન એ ૩ ક્રોધને સમકાળે ઉપશમાવવા માંડે છે અને તે ઉપશમના કરતાં પ્રથમસ્થિતિનો બંધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધ સંજ્વલનનો સંખ્યયભાગહીન થાય છે, અને બાકીના કર્મનો સંખ્યયગુણહીન થાય છે. બાકીના સ્થિતિઘાતાદિ પૂર્વ કહેલ રીતે જ કહેવું. સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહે છતે પતદ્મહત્ત દૂર થાય છે. અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ ક્રોધના દલિકને ત્યાં નાંખે નહીં, પરંતુ સંજ્વલન માનાદિમાં નાંખે છે. વળી બે આવલિકા બાકી રહેતાં પ્રથમસ્થિતિમાં સંજ્વલન ક્રોધનો આગાલ ન થાય પણ ઉદીરણા જ થાય છે. તે ઉદીરણા પણ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી પ્રવર્તે છે. અને ઉદીરણા આવલિકાના અન્ય સમયે સંજ્વલનનો સ્થિતિબંધ ૪ મહિનાનો થાય છે, બાકીના કર્મોનો સંગાતા હજાર વર્ષનો સ્થિતિબંધ કરે છે. અને ત્યારે સંજવલન ક્રોધના બંધ - ઉદય - ઉદીરણાનો સાથે જ વિચ્છેદ થાય છે. અને તે જ સમયે અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ બે ક્રોધનો ઉપશમ થાય છે. અને ત્યારે એક આવલિકા અને સમય ન્યૂન બે આવલિકાના બાંધેલા દલિયાને છોડીને બાકીનું સર્વ પણ સંવલન ક્રોધનું દલિયું ઉપશાન્ત થયું છે. અને તે પણ સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ સંબંધી અન્ય આવલિકા સ્ટિબુકસંક્રમથી માનમાં નાંખે છે. અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પુરુષવેદમાં કહેલ પ્રકારે ઉપશમાવે છે અને સંક્રમાવે - આ જ ક્રમથી બાકીના પણ માન - માયા - લોભરૂપ ત્રણ પ્રકારના અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ – સંજ્વલનરૂપે દરેકને ત્રણ ભેદથી ઉપશમાવે છે. ત્યાં સંવલનની ઉપશમના પુરુષવેદ સમાન જાણવી, અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માનાદિની ઉપશમના ૬નોકષાયની જેમ જાણવી. વિશેષ એ છે કે સંજ્વલનની પ્રથમસ્થિતિમાં પુરુષવેદની અપેક્ષાએ એક આવલિકા અધિક જાણવી. તે આ પ્રમાણે કહે છે, - ૬ નોકષાય ઉપશાન્ત થયે પુરુષવેદની પ્રથમસ્થિતિ એક સમયમાત્ર ઉપશાન્ત વગરની હોય છે. અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માનાદિની એક આવલિકા પ્રમાણ સ્થિતિ ઉપશાન્ત વગરની હોય છે. એ વાત અતિ સંક્ષેપથી કહીં, હવે વિસ્તારથી કહે છે. સંજ્વલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાના વિચ્છેદ સમયે જ સંજ્વલન માનની દ્વિતીયસ્થિતિ સંબંધી જે દલિક તેને ખેંચીને પ્રથમસ્થિતિરૂપ કરે છે અને વેદે છે. ત્યાં ઉદય સમયે અલ્પ નાંખે, વળી દ્વિતીય આદિ સ્થિતિમાં પ્રથમસ્થિતિના અન્ય સમય સુધી ઉત્તર-ઉત્તરના ક્રમથી અસંખ્યયગુણ હોય છે. અને પ્રથમસ્થિતિના પ્રથમ સમયે જ સંજવલન માનનો સ્થિતિબંધ ૪ માસનો છે, અને બાકીના જ્ઞાનાવરણાદિનો સંગ્રેય હજાર વર્ષ પ્રમાણ છે. અને ત્યારે ત્રણે પણ માન એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. અને સંજ્વલન માનની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહે છતે અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માનના દલિકોને સંજ્વલન માનમાં ન નાંખે પરંતુ સંજવલન માયાદિમાં નાંખે છે. અને બે આવલિકા બાકી રહેતા સંજવલન માન સ્થિતિનો આગાલ વિચ્છેદ થાય છે. તેથી આગળ ઉદીરણા જ ફક્ત પ્રવર્તે છે, અને તે પણ આવલિકાના અન્ય સમય સુધી ઉદીરણા હોય છે. તદનંતર પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે છે. અને તે સમયે સંજવલનનો બે માસનો સ્થિતિબંધ, અને બાકીના કર્મોનો સંખ્યય વર્ષનો સ્થિતિબંધ કરે છે. અને ત્યારે સંજ્વલન માનની બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાન્ત થાય છે. વળી સંજ્વલન માનની પણ એક આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ તથા સમય ન્યૂન બે આવલિકા બાંધેલ લત્તા સિવાયની બાકીની સર્વ પણ ઉપશાન્ત કરે છે, અને તે જ સમયે સંવલન માયાની દ્વિતીયસ્થિતિના દલિકને ખેંચીને પ્રથમસ્થિતિરૂપ કરે છે, અને વેદે છે. અને પૂર્વ કહેલ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ સંબંધી ઉદયથી નિર્મુક્ત આવલિકાને સ્ટિબુકસંક્રમથી ઉદયમાં પ્રવર્તતી આ સંજ્વલન માયામાં નાંખે છે. સમય ન્યુન બે આવલિકાએ બાંધેલ સ્થિતિ પુરુષવેદના ક્રમથી ઉપશમાવે અને સંક્રમાવે છે. ૪૫ તથાસ્વભાવે સંજવલન ક્રોધાદિની પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે અને માનાદિનો ઉદય થઈ જાય છે. તેથી જ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહી જાય છે તે અવશિષ્ટ આવલિકાગત દલિક સ્તિબુકસંક્રમ વડે માનાદિમાં સંક્રમી દૂર થાય છે. કષાય પ્રાભૃત ચૂર્ણિના મતે..... પ્રથમ સ્થિતિની સમય ન્યૂન આવલિકા + બીજી સ્થિતિમાં બે સમય ન્યૂન બિ આવવિકામાં બદ્ધ દલિક અનુશાંત હોય છે. આ પ્રમાણે અન્યત્ર પણ જાણવું. જે સમયે સંજ્વલન ક્રોધનો છેલ્લો ઉદય બંધ પડ્યો તે પછીના સમયથી માનનો ઉદય શરૂ થાય છે. પેલાના ઉદયવિચ્છેદ અને પછીના ઉદય વચ્ચે અંતર હોતું નથી. ૪૮ અત્યાર સુધી માનનો પ્રદેશોદય હતો તેથી એક પ્રદેશોદયાવલિકા છોડી ગુણશ્રેણિના ક્રમે દલિક ગોઠવાતું હતું. હવે રસોદય થયો એટલે ઉદયથી આરંભી ગુણશ્રેણિના ક્રમે દલિક ગોઠવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364