Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 279
________________ ૨૫૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉપશાન્ત થાય છે, અને તે જે સમયે અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકનો વિચ્છેદ થાય છે, સંજ્વલન લોભનો બંધવિચ્છેદ અને બાદર સંજ્વલન લોભનો ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે, એ પ્રમાણે જાણવું. सेसद्धं तणुरागो, तावइया किट्टी ऊ य पढमठिइं । वज्जिय असंखभागं, हेटुवरिमुदीरए सेसा ।। ५४ ।। शेषाद्धां तनुराग - स्तावतीं किट्टीश्च प्रथमस्थितिम् । वयित्वाऽसंख्येयभाग - मधस्तादुपरिमुदीरयति शेषाः ।। ५४ ।। ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્ય :- બાકીના અદ્ધાકાલમાં અર્થાત્ ત્રીજા વિભાગમાં સૂક્ષ્મ રાગી એટલે કે સૂક્ષ્મસંપરાય થાય છે. અને તે પૂર્વે કરેલ દ્વિતીયસ્થિતિની કિઠ્ઠિઓમાંથી કેટલીક કિઠ્ઠિઓ ખેંચીને સૂક્ષ્મસંઘરાય કાલ જેટલી પ્રથમસ્થિતિરૂપ કરે છે. અને કિષ્ટિકરણાદ્ધાની બાકી રહેલ અન્ય આવલિકા માત્ર સ્થિતિને તિબુકસંક્રમથી સંક્રમાવે છે. તથા પ્રથમ અને અન્ય સમયે કરેલ કિટ્ટિ સિવાયની બાકીના સમયે કરેલ કિઠ્ઠિઓ સૂક્ષ્મસંપરાય અદ્ધાના પ્રથમસમયે પ્રાયઃ ઉદયમાં આવે છે. પ્રથમસ્થિતિ ભાવથી અનાક્રાંત = આક્રાંત ન થયેલ અર્થાતુ ઉદય ઉદીરણા અયોગ્ય થયેલ એવી કિટ્ટીઓનું ગ્રહણ ન થાય તે માટે પ્રાય: પદ છે. તથા અન્ય સમયે કરેલ કિટ્ટિઓની નીચે અસંખ્યાતમા ભાગ અને પ્રથમ સમયે કરેલ કિટ્ટિના ઉપરના અસંખ્યાતમા ભાગ સિવાયની બાકીની કિઠ્ઠિઓની ઉદીરણા કરે છે. गेण्हंतो य मयंतो, असंखभागो य चरमसमयम्मि । उवसामेई बीय - टिई पि पुवं व सव्वद्धं ।। ५५ ।। गृहणंश्च मुञ्चन् , असंख्येयभागं च चरमसमये । उपशमयति द्वितीय - स्थितिमपि पूर्ववत्सर्वाद्धाम् ।। ५५ ॥ ગાથાર્થ :- સૂક્ષ્મસંપરાય અદ્ધાના અન્ય સમય સુધી અસંખ્યાતમા ભાગ જેટલાં દલિકને ગ્રહણ કરતો અને મુકતો એવો જીવ સૂક્ષ્મસંપરાયની સર્વોદ્ધા સુધી દ્વિતીયસ્થિતિગત દલિકને પૂર્વવત્ ઉપશમાવે છે. ટીકાર્થ :- સૂક્ષ્મસં૫રાય અદ્ધાના બીજા સમયે ઉદયપ્રાપ્ત થયેલ કિઢિઓનો "અસંખ્યાતમો ભાગ મૂકે છે. અર્થાતુ તેટલો જ ભાગ ઉપશાંત થયેલ હોવાથી તે ઉદયમાં આવતો નથી. અને અપૂર્વ અસંખ્યાતમાં ભાગને અનુભવવાને માટે ઉદીરણાકરણ વડે ગ્રહણ કરે છે. એ પ્રમાણે દરેક સમયે એટલો ભાગ ગ્રહણ કરતાં અને ત્યાગ કરતાં ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સૂક્ષ્મસં૫રાય અદ્ધાનો અન્ય સમય આવે. ૫૪ ૫૫ અહીં એમ સમજાય છે કે પહેલા સમયે કરાયેલી કિક્રિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ એટલે કે ઉત્કૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓ છોડીને અને છેલ્લા સમયે કરાયેલી કિઠ્ઠિઓનો નીચેનો અસંખ્યાતમો ભાગ એટલે કે મંદ રસવાળી કિઠ્ઠિઓને છોડીને શેષ કિઠ્ઠિઓને ઉદીરણા દ્વારા ખેંચી અનુભવે છે. પ્રાયઃ પદ મુકવાનું કારણ એ છે કે પહેલા છેલ્લા સમયની કિક્રિઓમાંથી અસંખ્ય બહુભાગ ઉદય ઉદીરણામાં આવે છે. એક અસંખ્યાતમ ભાગ છૂટી જાય છે. માટે પ્રાય: શબ્દ બહુલવાચી લેવો. અહીં ઉદયપ્રાપ્ત કિક્રિઓના અસંખ્યાતમા ભાગને ઉપશમાવે છે એમ જણાવે છે. પરંતુ ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓ શી રીતે ઉપશમ ? કારણ કે ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓ તો પ્રથમસ્થિતિમાં જે કિઠ્ઠિઓ છે તે છે. પ્રથમ સ્થિતિને તો ઉદય-ઉદીરણાથી ભોગવે છે. દરેક સ્થળે પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે. એમ જણાવેલું છે તો અહીં ઉપશમ થાય એ કેમ બને ? તેના ઉત્તરમાં એમ જણાય છે કે 10માં ગુણસ્થાનકની વિશુદ્ધિના માહામ્યથી પ્રથમસ્થિતિની ઉદયપ્રાપ્ત કિક્રિઓના અસંખ્યાતમા ભાગને પણ દ્વિતીયસ્થિતિગત કિઢિઓ સાથે ઉપશમાવે છે. સમુદ્ધાતના માહાસ્યથી જેમ પુણ્યપ્રકૃતિના રસને પાપરૂપે કરી અનુભવે છે. અથવા જે દસમાં ગુણસ્થાનકના કાળ પ્રમાણે પ્રથમ સ્થિતિ કરી તેને તો ભોગવીને ખપાવે, પરંતુ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદય આવવા યોગ્ય જે કિઠ્ઠિઓ બીજી સ્થિતિમાં રહેલી હોય, તેના અસંખ્યાતમા ભાગને ઉપશમાવતો અને અપૂર્વ અસંખ્યાતમા ભાગને ઉદીરણાકરણ વડે ગ્રહણ કરી અનુભવતો, આ પ્રમાણે પ્રતિસમય કરતા ૧૦માના ચરમ સમય સુધી જાય છે. અહીં ચરમ સમય સુધી ઉદીરણાકરણ વડે કિટિંઓને ગ્રહણ કરવાનું કહ્યું છે, પરંતુ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે અને ઉદીરણા ન થાય એમ કહ્યું નથી. એટલે એમ જણાય છે કે કિષ્ટિકરણોદ્ધા કાળમાં દસમે અનુભવવા યોગ્ય જે કિક્રિઓ કરી છે, તેમાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉપશમાવત તેને ઉદીરણાકરણ વડે ખેંચી અનુભવતો આ પ્રમાણે ક્રિયા કરતો ચરમ સમય પયંત જાય છે. પ્રથમ સમયે ૧ થી ૧OOO કિઠ્ઠિઓ કરે છે, રજા સમયે ૧૦૦૧ થી ૧૫૦૦ કિઠ્ઠિઓ કરે છે. આ રીતે જે કિઠ્ઠિઓ થઈ છે, તેમાંથી પ્રથમ સમયે ઉદય વખતે ૧૦૦ કિટિઓને સ્વરૂપે ભોગવતો નથી, બીજા સમયે ૧૨૫ કિઠ્ઠિઓને સ્વરૂપે ભોગવતો નથી, ત્રીજા સમયે ૧૫૦ કિષ્ટિઓને સ્વરૂપે ભોગવતો નથી, આ રીતે પ્રથમ સમયની કિઢિઓ સ્વરૂપે નહીં ભોગવવાથી તેનો વિપાક અપેક્ષાએ ઉપશમ છે, એ રીતે છેલ્લા સમયની કિરિઓમાંથી પહેલા સમયે છેલ્લી ૧૦૦ કિક્રિઓ ઉદયવાળી ન હતી, બીજા સમયે ૯૦ કિદ્વિ ઉદયવાળી ન હતી, એટલે પ્રથમ સમય કરતાં ૧૦કિક્રિઓ ઉદયવાળા થાય છે. આ રીતે ઉદય અયોગ્ય કિઠ્ઠિઓ ઘટતી જાય છે. અને આ બધી કિટ્ટિના જે દલિકો દ્વિતીયસ્થિતિમાં છે તેને ત્યાં જ ઉપશમાવે છે. અને પ્રથમ સ્થિતિમાં રહેલા દલિકો જે સ્વરૂપે ઉદયમાં ન આવે તેને ઉપશમાવે છે, તેમ ઉપચારથી કહેવાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364