Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 56
________________ ઉપશમના કરણ ૫ ચારિત્રમોહોપશમના પ્રારંભક- આયોપશમિક સમ્યક્ત્વયુક્ત અવિરત, દેશવિરત કે સર્વવિરત. આ જીવોની બે અા હોય છે. વિશોધિઅા, સંક્લેશઅા. વિશોધિઅાવાળો પ્રારંભ કરે. - જેવો હોય છે. વળી એ જ મિશ્રર્દષ્ટિને સાકાર ઉપયોગમાં વ્યંજનાવગ્રહ હોય છે એવું કહ્યું છે. માટે જણાય છે કે સંશય વ્યંજનાવગ્રહરૂપ હોય છે. ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થવા માત્રથી સ્વરૂપ-નામ- વગેરેની કલ્પના શૂન્ય સામાન્યમાત્રવિષયક જે બોધવિશેષ થાય છે તે અનાકારોપયોગ છે. અસલ્પનાથી અનિવૃત્તિકરણાદિની સમજણ- ધારોકે ૧૦૦૦૧ સમયથી ૧૯૦૦૦ સમય સુધી યથાપ્રવૃત્તકરણ છે, ૧૬૦૦૧ થી ૨૦૦૦૦ સુધી અપૂર્વકરણ છે, ૨૦૦૦૧ થી ૨૨૦૦૦ સુધી અનિવૃત્તિણ છે. ૨૨૦૫૦ મો નિષેક એ ગુણશ્રેણિશીર્ષ છે. ૨૦૦૧ થી ૨૩૦૦૦ એ ઉપરાંત અણ્ણ છે. ૮ સમયની આવલિકા છે. ગમે તે કાળે ૨૦૦૦૧ મા સમયે રહેલા કોઇપણ જીવનો અધ્ય૦ એક સરખો જ હોય છે. એમ ગમે તે કાળે ૨૦૦૦૨ મા સમયે (અનિવૃત્તિના બીજા સમયે) રહેલા જીવનો અધ્યવસાય તુલ્ય જ હોય છે પણ ૨૦૦૦૧ મા સમયે રહેલા જીવ કરતાં અનંતગુણ વિશુદ્ધ હોય છે. આમ ૨૨૦૦૦ મા સમય સુધી જાણવું. તેથી અનિવૃત્તિકરણના જેટલા (૨૦૦૦) સમયો છે એટલા જ અધ્યવસાયસ્થાનો મળશે. આ રીતે સ્થિતિજ્ઞાત વગેરે કરતાં કરતાં માની લ્યો કે જીવ ૨૧૮૦૦ મા સમયે પહોંચ્યો. જે સ્થિતિઘાત વગેરે ચાલુ હતા તે આ જ સમયે પૂરા થયા છે. ૨૧૮૦૧ મા સમયે એ નવો સ્થિતિાત વગેરે ચાલુ કરે છે. તેમજ ૨૨૦૦૧ મા નિષેથી માંડીને ૨૩૦૦૦ સુધીના નિષેકોમાં રહેલા દલિકોને ખાલી કરવાનો પ્રારંભ કરે છે. આ ૨૧૮૦૧ મા સમયે, આ ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાંથી શેડ દલિક ઉપાડે છે અને એને ૨૧૮૦૧ થી ૨૨૦૦૦ સુધીના નિષેકોમાં (પ્રથમસ્થિતિમાં) અને ૨૩૦૦૧ થી ઉપરના નિષેકોમાં (બીજી સ્થિતિમા) નાંખે છે. ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષકોમાંથી દલિકો ઉપાડતી વેળા, ૨૨૦૦૧ થી ૨૨૦૫૦ સુધીના નિષેકો, કે જેમાં ગુણશ્રેણિ નો શીર્ષભાગ આવ્યો છે, એમાંથી પણ દલિકો ઉપડવાથી એ પણ ખાલી થવા માંડે છે. એટલે કે ગુણશ્રેણિના ઉપરના ૫૦ નિષેકો પણ ખાલી થવા માંડે છે. એટલે હવે ૨૨૦૦૦ મો સમય ગુણશ્રેણિશીર્ખ બનશે, તેમજ ત્યાં સુધી જ ગુણશ્રેણિથી નવું દલિક ગોઠવાશે. ૨૮૦૨ મો સમય- કેરાતા ૧૦૦૦ નિષેકોમાંથી પ્રથમસમય કરતા અસગુણ દલિક ઉપાડી એને ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ મા નિષેકોમાં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખશે. ગુણશ્રેણિ રચના ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ સુધી કરશે.... આમ ઉત્તરોત્તર જાણવું. એમ કરતાં કરતાં ધારો કે ૨૧૮૨૫ મો સમય આવ્યો. આ સમયે ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાં રહેલ શેષ સઘળું દલિક ઉપાડીને નીચે ૨૧૮૨૫ થી ૨૨૦૦૦ માં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખી દેશે. આ જ સમયે, ૨૧૮૦૧ મા સમયે જે સ્થિતિપ્રત શરુ થયેલ એ પૂરો થાય છે. અંતરકરણકિયા પણ પૂર્ણ થાય છે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186