________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પ્રમાણે આ ગ્રંથના કર્તા મહાન સૂરીશ્વરજી ઉત્તર ગુજરાતના ગામડાનાર એક કણબી કુટુંબમાંથી ઊતરી આવ્યા હતા. આ કુટુંબે સાવ નિરક્ષરહતાં. સામાન્ય રીતે એ કુળને કઈ જાયે નિશાળના દરવાજે જતો નહિ. ધરતી એમની માતા હતી, જે ખેડીને સત્તા મેળવતાઃ ને આકાશ. એમનું શિરછત્ર હતું, જે નિહાળીને પરમ તત્વનો અનુભવ કરતા. * ધરતીના આ જાય સૂરિજીનાં માતા-પિતા શૈવ-વૈષ્ણવ હતાં, પણ. ભાવિ બળવાન છે. વીજાપુરના એક સાધુએ આ હીરાને પિછાણી લીધે ને તેના પર પહેલ પાડવા શરૂ કર્યા. એ જ ગામના એક શ્રેષ્ટિએ એને આશ્રય આપ્યો ને શિક્ષણ-સંસકારની સુવિધાઓ પૂરી પાડી.
- દુનિયામાં ઘણું ચમત્કારો થતા રહે છે, એમ જીવન પણ ઘણી વાર કર્મદેવના ચમત્કાર જેવું બની જાય છે. જીવનની એક પચ્ચીસી પૂરી થતાં થતાંમાં તો બહેચરમાંથી બહેચરદાસ, તેમાંથી બુદ્ધિસાગર તરીકે નિર્માણ પામ્યા. નિરક્ષર કણબી કુટુંબના એ બાળકે ત્યાગી, તપસવી, યોગાભ્યાસી મૂર્તિને લેબાશમાં દર્શન દીધાં.
કાળનું ચક્ર થોડાક વધુ આંટા ફરે છેઃ ને નિરક્ષરતાને ગળથુથીમાં. લઈને જન્મેલ એ જુવાન આત્મા દ્રષ્ટા, કવિ, વિવેચક, ફિલસૂફ ને અધ્યાત્મ યોગી તરીકે સહુનું લક્ષ ખેંચે છે. ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ને પ્રાકૃતના અભ્યાસી તરીકે એ પંકાય છે. કર્મના ક્ષેપણમ. કેટલા શીધ્રાતિશીધ્ર હોય છે, એનું એ એક જ્વલંત ઉદાહરણ બની જાય છે.
એ વખતે સાધુઓનાં શિષ્યોની બહુ મોહિની હતી. શિષ્યોની સંખ્યા. દિગુ કરવામાં ને-ઊંચો આંક રાખવામાં ગવાડાના આચાર્યો ગર્વ લેતા. એ વખતે આપણા આ વિદ્વાન, તપસ્વી ને યોગી આચાર્યે પ્રતિજ્ઞા કરી કે--
એકસે ને આઠ ગ્રંથશિષ્યો સરજીશ. મને અન્ય શિષ્યોમાં રસ નથી. આ મારા શિષ્યો મૃત્યુ, જન્મ ને જરાથી મુક્ત હશે.”
આ નિર્ણય મણના દાંતે લોઢાના ચણા ચાવવાનો હતો. આઠ મહિના આ ગામથી બીજે ગામ ભ્રમણ, પગે વિહાર, ઘરઘરની ભિક્ષાનું ભજન, સાધુના નિત્યના આયારોનું પાલન તેમ જ વ્યાખ્યાન આદિ કાર્યો ઘણે સમય લઈ લેતાં હતાં. પણ સમર્થ સરિરાજે પોતાના નિરધારને પૂરો કરવા, જીવનની પળેપળ કામમાં લેવા માંડી ને પોતાનો નિર્ણત આંક વટાવી દીધે.
જ્ઞાની સૂરિજી જાણતા હતા કે જીવનના પાત્રમાં આયુષ્યના ક શુ ઓછા
For Private And Personal Use Only