Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 8
________________ જાનાગઢ વસેલા કાઠિયાવાડના નંદનવનસમા ચોરવાડમાં પણ સાહિત્યને બગીચે હજુ તો ગઈ કાલ સુધી ફોરેલે હતે. “સ્વ”નાં પુસ્તકોના લેકપ્રિય કર્તા અમૃતલાલ પઢિયારની મંડળી રમણીય ચોરવાડમાં હજુ તે હમણું જ વસતી હતી. આવું રળિયામણું જૂનાગઢ છે.” જૂનાગઢમાં સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું ત્યારે સ્વાગત–પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં શ્રી શામળદાસ ગાંધીએ જૂનાગઢને પરિચય ઉપરના શબ્દોમાં આપે હતે. જે સ્થાને જૂનાગઢ છે તે સ્થાને અથવા તેની નજીકમાં પ્રાચીનકાળથી વસાહતે હશે એમ તે લગભગ બધા જ ઈતિહાસકારે સ્વીકારે છે. શ્રી જયસુખરાય જોષીપુરાએ “ગૌરવ” નામના પુસ્તકમાં લખ્યું છે: “આ શહેરને આદિ કાળમાં મણિપુર, સ્મૃતિકાળમાં ચંદ્રકેતુપુર, પછી રેવતનગર અને કળિકાળમાં પુરાતનપુર પણ કહેતા હતા.” આ બતાવે છે કે અહીં પુરાતનકાળમાં પણ નગરે હતાં. આ પછીના કાળમાં આ સ્થળનાં નગરને વિવિધ નામે મળ્યાં છે. ઇતિહાસના ઘણું વારાફેરા આ નગરે જોયા છે. એની સમગ્ર કથાનું નિરૂપણ કરીએ તે પહેલાં નર્મદ અને ન્હાનાલાલે એને વિષે જે નોંધ આપી છે તે જોઈ લઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54