Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 50
________________ જનાગઢ એક સમિતિ રચવામાં આવી હતી. જૂનાગઢ રાજ્યની એક લેકપ્રતિનિધિસભાએ પછી ચૂંટાઈ હતી. એ સભાએ ૧૯૪૮ના ફેબ્રુઆરીની વીસમી તારીખે સર્વાનુમતે જૂનાગઢ સૌરાષ્ટ્ર સાથે વિલીન થઈ જાય એ નિર્ણય કર્યો હતો. જૂનાગઢની આ ઈતિહાસકથામાં આપણે એક ખૂબ પ્રચલિત વાતને ઉલ્લેખ કર્યો નથી. એ સકારણ કર્યો નથી. રા'ખેંગાર, રાણકદેવી અને સિદ્ધરાજનાં પાત્રો આસપાસ વણાયેલી દંતકથાની એ વાત છે. દંતકથા કહે છે કે સિદ્ધરાજે રા'ખેંગાર અને તેના બે પુત્રને વધ કર્યો હતો અને પછી તે રાણકદેવીને ઉપાડીને પાટણ જતે હતો ત્યાં માર્ગમાં વઢવાણ પાસે રાણકદેવી સતી થઈ. આ દંતકથા છે. તેને ઇતિહાસનું સમર્થન મળતું નથી. સાચી વાત એમ લાગે છે કે સિદ્ધરાજે જૂનાગઢના રાને પરાજય કર્યો હતે અને તેને કેદ પકડીને એ પાટણ લઈ ગયું હતું તેની પાસે માફી મંગાવીને તેને મુક્ત કર્યો હતો. સંભવ એ છે કે તેની રાણ તેની પાછળ પાટણ આવી હશે. પાટણથી પાછા ફરતાં વઢવાણ નજીક રા'નું મૃત્યુ થયું હશે અને રાણી સતી થઈ હશે. રાણકદેવી સામાન્ય નામ છે કે વિશેષ નામ છે તેને વિષે પણ સંદેહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54