________________
. જાનાગઢ
૧૧
શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે રેવતક પર્વતની તળેટીમાં કુશસ્થળી વસ્યું હશે પછી એ જ સ્થાન ઉપર દ્વારકા વસ્યું હશે એવું અનુમાન એ કરે છે. એટલે કે આજનું જૂનાગઢ જે સ્થાન ઉપર છે ત્યાં અથવા તેની નજીક કૃષ્ણનું દ્વારકા વસ્યું હશે એમ એ માને છે. વેદના સમયમાં આજે જ્યાં ગુજરાત છે ત્યાં જગલે હતાં. એ પછી તે આ પ્રદેશમાં સ્થળ-જળના અનેક ફેરફાર થયા હશે. એ કાળે વસાહતે તે સાગરતીરે હશે. અંદરના પ્રદેશમાં આદિવાસીઓ વસતા હશે. એવા પ્રાચીનકાળમાં રેવતાચળની તળેટીમાં સૌથી પ્રથમ કુશસ્થળી વસ્યું હશે. અને એ જ સ્થાન ઉપર યાદવેએ આવીને દ્વારકા વસાવ્યું હશે એવી એમની અટકળ છે.
લગભગ આ જ અરસામાં સાગરકાંઠે પ્રભાસ પાટણ વસ્યું હશે. શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ પછી જે કાબાઓએ કૃષ્ણની સ્ત્રીઓનું હરણ કર્યું હતું એ કાબાએ મૂળ તે યાદવવંશના જ હોય એ સંભવ છે.
ગિરનારની તળેટીને પ્રદેશ એ પ્રાચીન કાળમાં પણ ફળદ્રુપ તે હતું જ. એટલે લાંબા સમય સુધી એ સ્થળ ઉજજડ તે ન રહે.
નંદેના અને મૌના યુગમાં આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com