Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 11
________________ જૂનાગઢ ગઢમાં રાનું રાજ્ય હતું. ઈ. સ. ૧૪૭૧ માં અમદાવાદના બાદશાહે છેલ્લા રામંડળિકને હરાવીને જૂનાગઢ જીત્યું ત્યારથી ત્યાં મુસલમાની રાજ્ય છે. અમદાવાદના બાદશાહના ફેજદાર જૂનાગઢમાં રહેતા ને બાદશાહી નઝર ઉઘરાવતા. ઈ. સ. ૧૭૪૮ માં એ ફેજદાર સ્વતંત્ર નવાબ થયા. ઈસ્લામી રિોનકના મકબરા જૂનાગઢમાં જોવા જેવા છે. જૂનાગઢના બાગ જેવા બાગ ગુજરાતભરમાં બીજે નથી.” ભગવાન કૃષ્ણ દ્વારકા વસાવ્યું ત્યારે આ પ્રદેશ પ્રસિદ્ધ તે હતું જ. પુરાણ કહે છે કે આનર્તના પુત્ર રેવતે કુશસ્થળી નામનું નગર વસાવ્યું હતું. આ કુશસ્થળી વિષે પુરાણમાં જે ઉલ્લેખે છે તે બધા શ્રી ઉમાશંકર જોષીએ “પુરા માં ગુજરાત માં એકત્ર કર્યા છે. સમુદ્રતટે રેવત પર્વત પાસે કુશસ્થળી હતું અને ત્યાં દ્વારકા વચ્ચું એમ મહાભારતમાં કહ્યું છે. વધુમાં તેમાં કહ્યું છે કે રેવત પુરદ્વાર ભૂષણરૂપ હતું અને તેની બધી બાજુએ સમુદ્ર હતો. રેવતને પિતા રેવત આનર્ત દેશ ભેગવ અને કુશસ્થળીમાં વસતે. પણ કુશસ્થળી નામ પ્રમાણમાં પ્રાચીનકાળે ઘણું પ્રચલિત હતું એમ પુરાણેમાંના ઉલ્લેખ ઉપરથી લાગે છે. એટલે કુશસ્થળી અને કુશાવતી નામનાં નગરે અનેક સ્થળે હેાય એ સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54