SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ . જાનાગઢ ૧૧ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે રેવતક પર્વતની તળેટીમાં કુશસ્થળી વસ્યું હશે પછી એ જ સ્થાન ઉપર દ્વારકા વસ્યું હશે એવું અનુમાન એ કરે છે. એટલે કે આજનું જૂનાગઢ જે સ્થાન ઉપર છે ત્યાં અથવા તેની નજીક કૃષ્ણનું દ્વારકા વસ્યું હશે એમ એ માને છે. વેદના સમયમાં આજે જ્યાં ગુજરાત છે ત્યાં જગલે હતાં. એ પછી તે આ પ્રદેશમાં સ્થળ-જળના અનેક ફેરફાર થયા હશે. એ કાળે વસાહતે તે સાગરતીરે હશે. અંદરના પ્રદેશમાં આદિવાસીઓ વસતા હશે. એવા પ્રાચીનકાળમાં રેવતાચળની તળેટીમાં સૌથી પ્રથમ કુશસ્થળી વસ્યું હશે. અને એ જ સ્થાન ઉપર યાદવેએ આવીને દ્વારકા વસાવ્યું હશે એવી એમની અટકળ છે. લગભગ આ જ અરસામાં સાગરકાંઠે પ્રભાસ પાટણ વસ્યું હશે. શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ પછી જે કાબાઓએ કૃષ્ણની સ્ત્રીઓનું હરણ કર્યું હતું એ કાબાએ મૂળ તે યાદવવંશના જ હોય એ સંભવ છે. ગિરનારની તળેટીને પ્રદેશ એ પ્રાચીન કાળમાં પણ ફળદ્રુપ તે હતું જ. એટલે લાંબા સમય સુધી એ સ્થળ ઉજજડ તે ન રહે. નંદેના અને મૌના યુગમાં આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy