Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધના * ઈચ્છાને રેકવી તે જ સંયમ છે. ઈચછાને અધીન. ન થવું તે જ તપ છે. * જે સમ્યગુદર્શનના ભાવથી જીવન સમસ્તને અનુભવ કરે છે તે આગળ વધે છે, તથા આરાધના અને ચિંતન સિદ્ધ બની જાય છે. પરંતુ અહમથી કરેલી આરાધના કદી પૂર્ણ થતી નથી. * “હું”ની દીવાલ તોડી આરાધના કરવાથી જીવનજયેત છળહળી ઊઠશે. આરાધના કરવાની વિધિ બરાબર નહીં હોય તે જીવન જયોત સળગીને રાખ થઈ જશે. * આત્મા અને શરીરને, પદાર્થ અને પર્યાયને ભેદ, ન પામે ત્યાં સુધી સાધના સિદ્ધ થતી નથી. આત્મા શરીરથી ભિન્ન સમજાય ત્યારે જ સાધના સિદ્ધ થાય છે. * બીજાઓને જીતે છે તે વીર છે, પણ પોતાના વિકારેને જે જીતે છે તે તે મહાવીર છે. * ખેડૂત જ્યારે ખેતી કરે છે, ત્યારે પ્રથમ ખેતરને. સાફ કરે છે, જમીનને પચી બનાવી અનાજ વાવે છે ને તેનું રક્ષણ કરે છે. આમ ઘણી મહેનત કર્યા પછી જ લાભ મળે છે. એવી જ રીતે આત્માની સાધના પણ ખેતી છે. આત્મામાં ધર્મનાં બી વાવવા માટે વિષય કષાની ગંદકી પ્રથમ શુદ્ધ વિચારોથી સાફ કરે, પછી. તપ–જપ જે કરશે તેની મહેનત સુંદર ફળશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86