________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણાદય
* આત્માને સ્વતંત્ર કરવા માટે દીર્ઘકાળ સુધી શ્રમ કરે પડે છે, ત્યાર બાદ વિશ્રામ પ્રાપ્ત થાય છે.
* કાઉસ્સગ્ન એટલે આત્માના ધ્યાનમાં એવું લીન થવું કે આ શરીર, કાયાનું પણ આપણને ભાન રહે નહીં. શરીર ઉપરથી મનને છોડી દઈને આત્મામાં સ્થિર કરી દેવું. તે કરવાથી પરમાત્મ–દશા પ્રાપ્ત થાય છે. પછી આત્મામાં પ્રકાશ પ્રગટે છે, અજ્ઞાન દૂર થાય છે ને જ્ઞાન પ્રગટે છે.
* ગંદા કપડાં કે ગંદું શરીર જેટલું દુઃખ આપતાં નથી તેથી વધુ દુઃખ મલિન આત્મા આપે છે. મલિનતા ગળે ત્યારે પ્રાપ્ત થયેલ સાધનસામગ્રી કાર્યરત બને છે અને આત્મા સુખ-શાંતિનો અનુભવ કરી શકે છે, અને માટે આત્માને લાગેલી કર્મરૂપી ગંદકી દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ.
* નાનામાં નાની વસ્તુની પણ ઘણી કિંમત હોય છે અને તે ઘણાં ભયંકર પરિણામે પણ લાવે છે. નાનામાં નાની અગ્નિની કણું આખા ગામને બાળીને રાખમાં ફેરવી દે છે. નૌકાને નાનામાં નાનું છિદ્ર ડુબાડી દે છે. નાના એવા બીજમાંથી વડ બને છે, તેમ આત્મામાં પડેલે નાનકડે ગુણ ઘણુ ગુણને લાવનાર બને છે.
* આત્મા આનંદસ્વરૂપ છે. જેમ પાણી નિર્મળ છે પણ તેમાં સેવાળ વગેરે કચરો હોવાથી તે ગંદુ થાય છે.
For Private And Personal Use Only