Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દયા–ઉદારતા * માતા-પિતાને ઉપકાર વાળી શકાતું નથી. છતાં ય જે માતા-પિતાને ધર્મ પમાડે તે જરૂર ઉપકાર વાળી શકાય છે, પણ ગુરુને તો કોઈ પણ કાળે ઉપકાર વાળી શકાતા નથી. * પ્રકૃતિ પણ પરોપકાર કરે છે. પ્રકૃતિની દરેક વસ્તુ પરોપકાર કરે છે અને જીવનમાં આનંદ આપે છે. ઝાડ તડકે સહન કરીને મુસાફરને છાંયડો આપે છે, શીતળતા આપે છે. ઝાડ પથ્થર મારનારને પણ ફળ આપે છે, અપકારી પ્રતિ પણ ઉપકાર કરે છે. આવું જીવન જે માનવીનું બની જાય તે જીવન જ્યોતિ જેવું બની જશે, જગતને પ્રકાશ આપશે. * ગાય પોતે સૂકું ઘાસ ખાઈને જગતને અમૃત જેવું દૂધ આપે છે. આપણું આ શરીર પણ પરોપકાર માટે મળ્યું છે, વિષય ભોગ માટે મળ્યું નથી. માટે જીવનમાં પરોપકારી બનજો અને આ માનવજીવન પરોપકાર કરીને સફળ બનાવજો. જે પોતે સહન કરીને બીજાને શાંતિ આપે છે તે માનવ મટીને દેવ કહેવાય છે. તે માનવ નહીં પણ દેવ બની જશે. જે પોતે સહન કરે છે. તેને સાધુ કહેવાય છે. જે સહન કરે છે તે જ સિદ્ધ બને છે. જે સહન કરે છે, તેને જગત સન્માન આપે છે. * ઇસ્લામ કે વૈદિક પરંપરા જુએ, બૌદ્ધ કે જૈન પરંપરા જુઓ, પારસી કે ક્રિશ્ચિયન પરંપરા જુઓ; ત્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86