Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય દયાને અનન્ય સ્થાન અપાયેલ છે. તેથી કહેવાયું છે કે, “દયા ધર્મ કા મૂલ હૈ જિનવાણીયુક્ત પ્રવચનમાંથી અહિંસા જીવનમાં આચરવામાં ગૌરવ છે. હૃદયમાં દયાળુતા અને જીવનમાં ઉદારતાથી આત્માના વૈભવનો વિકાસ થાય છે. દયાળુતા અને ઉદારતા બંને પરમ મિત્રો છે. જ્યાં દયાળતા હોય ત્યાં ઉદારતા હોય જ. * કરુણાની ભાષામાં એવી મહાન શક્તિ છે કે મૂંગા પણ બોલી શકે છે, બહેરા પણ સાંભળી શકે છે. * પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પરમાત્માની કરુણા જીવનમાં ઉતારવી પડશે. દુઃખી આત્માને જોઈને તેના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને બીજાનું દુઃખ કરવા પ્રયત્ન ન કરીએ તો પરમાત્માની દષ્ટિએ માનસિક હિંસા ગણાશે. કરુણાથી જીવન પવિત્ર બનશે અને પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી અને પ્રેમભાવ ઉત્પન્ન થશે. * કઈ આપણને ગાળે દે, આપણું અપમાન કરે તે પણ તેના પર દયાભાવ રાખે. મનમાં એમ ચિંતન કરવું કે તે બિચારો અબુધ છે, અજ્ઞાની છે, કર્મને વશ છે. પણ તેના જેવા કદી થવું નહીં. * ઉદારતાથી જીવનનું સર્જન થાય છે. જીવનમાં તેનાથી સુખી બનાય છે. બધી પવિત્રતાને આધાર જ ઉદારતા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86