Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય * સંસારમાંથી ભાગવાની કેઈ જરૂર નથી. ભાગીને જયાં જશે ત્યાં સંસાર જ છે. માટે દષ્ટિ બદલો, મનમાંથી સંસારને કાઢી નાખે. પછી ભલે તમે સંસારમાં રહો છતાં ડૂબશે નહીં. જેમ ખાલી ઘડો પાણીમાં હોવા છતાં ડૂબતો નથી પણ તરે છે, જ્યારે એમાં પાણી ભરાય છે ત્યારે જ તે ડૂબે છે. * ઘણા માણસે કહે છે કે બીડી છૂટતી નથી. બીડીએ એને પકડ્યો નથી પરંતુ બીડીને પોતે પકડી છે. તેવી જ રીતે સંસારે આપણને નથી પકડી રાખ્યા, આપણે જ સંસારને પકડી રાખે છે અને કહીએ છીએ કે સંસાર છૂટતો નથી. * આ જગતમાં તારું પિતાનું કશું જ નથી. જેને તું તારું માને છે તે તારું નથી અને જેને સારું નથી માનતો તે જ તારું છે. * નાવડી જ્યાં સુધી પાણીથી અલિપ્ત રહે છે, ત્યાં સુધી તરશે પણ જ્યારે હોડીની અંદર કાણું પડશે ત્યારે હોડી ડૂબી જવાને ભય ઉત્પન્ન થશે. તેવી જ રીતે જ્યાં સુધી મન સંસારથી અલિપ્ત રહેશે ત્યાં સુધી તેને વાંધે નથી. પણ જે દિવસે સંસારનું પાણી અંદર પ્રવેશ કરશે તે દિવસે નૈયા ડૂબવાનો ભય ઉત્પન્ન થશે. * હેડી પાણીમાં જેવી રીતે તરે છે તેવી રીતે જ્ઞાનીઓ પિતાના આત્મજ્ઞાનના આનંદમાં તરે છે અને અપૂર્વ આત્માના આનંદનો અનુભવ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86