Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
બળની મદદ લેવામાં આવતી નથી. પરંતુ પૃથ્વી ઉપરથી અવકાશમાં ભ્રમણકક્ષા મૂકતી વખતે જે ગતિ હોય છે. તેના કારણે તે કાયમના માટે સતત પરિભ્રમણ કર્યા કરે છે. ઉપગ્રહની પોતાની ગતિના કારણે કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન થાય છે તેથી તે પૃથ્વીથી દૂર જવા પ્રયત્ન કરે છે,
જ્યારે પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ બળ જે વિજ્ઞાનની પરિભાષામાં કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે છે, તે તેને પૃથ્વી તરફ ખેંચે છે. આ રીતે બંને બળ એક બીજાનો છેદ ઉડાડી દે છે, પરિણામે જે તે ભ્રમણકક્ષામાં જે તે ઉપગ્રહ કોઈપણ જાતના બળ વગર સતત પરિભ્રમણ કરતો રહે છે. તે રીતે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકેલ ઉપગ્રહ જે તે સ્થળ ઉપર ચોવીસે કલાક સ્થિર રહેલ દેખાય છે.
Sun-synchronous, near polar orbit
Geostationary
orbit
Cone of beam for broadcast services
Station 3
Station 1
Earth
Inter-satellite
radio links
Satellite
orbit
Station 2
હવે જો જૈન ભૂગોળ-ખગોળ પ્રમાણે પૃથ્વીને સ્થિર માનીએ તો જે તે સ્થળ ઉપરથી સ્થિર દેખાતા ઉપગ્રહને પણ સ્થિર જ માનવો પડે અને તો તેને ૩૬૦૦૦ કિલોમીટર ઊંચે સ્થિર રાખનાર પરિબળ કયું? કારણ કે શ્રી તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમાસ્વાતિએ તેની સમાપ્તિના શ્લોકોમાં જણાવ્યું છે કે “અધોગૌરવધર્માણઃ પુદ્ગલા ઇતિ નોદિતમ્” તે પ્રમાણે જૈન દાર્શનિક માન્યતા અનુસાર તો પુદ્ગલનો સ્વભાવ છે કે નીચે આવવું. તો તે ઉપગ્રહ નીચે કેમ પડી જતો નથી ?