Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
110
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભરતક્ષેત્રની અપેક્ષાએ ઉત્તરમાં છે. ભરતક્ષેત્ર ઉત્તર-દક્ષિણ પર૬ યોજન ૬ કળા પહોળું છે. ઉત્તર દિશાની સરહદ ૧૪૪૭૧ યોજન કરતાં પણ વધુ લાંબી છે. તે પછી ઉત્તર દિશામાં મહાવિદેહક્ષેત્ર સુધી આવેલ પર્વતો અને ક્ષેત્ર પૂર્વપુર્વના ક્ષેત્ર કે પર્વત કરતાં બમણા વિસ્તારવાળા છે . અને તે પછીના પર્વતો અને ક્ષેત્રો પૂર્વ-પૂર્વના ક્ષેત્ર કે પર્વત કરતાં અડધા અડધા વિસ્તારવાળા છે. આ બધા જ ક્ષેત્ર અને પર્વતો ઐરવત ક્ષેત્રથી દક્ષિણ દિશામાં છે. આ અવસ્થાનને ભૌગોલિક નકશા સ્વરૂપે લેવાનું નથી.
ક્ષિણ
દક્ષિણ
II:H : ::
S
દક્ષિણ
દિશા અંગે શ્રી આચારાંગ સૂત્રની શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિની ગાથાઓમાં જણાવ્યું છે કે ભરતક્ષેત્રમાં જે દિશાઓ બતાવેલ છે તે ક્ષેત્રદિશા તરીકે પણ છે અને સૂર્યોદયની અપેક્ષાએ પણ તે જ છે. જ્યારે મેરૂ પર્વતની દક્ષિણમાં રહેલ ક્ષેત્ર માટે ભરતક્ષેત્ર પ્રમાણે દિશા છે, મેરૂ પર્વત તેની ઉત્તર દિશામાં છે. તો મેરૂ પર્વતની ઉત્તરમાં રહેલ