Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 200
________________ 144 શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સફળ થશે નહિ. અને લોકના ચાર્ટના સ્વરૂપથી અજ્ઞાત હોવાનું સિદ્ધ થશે. જો વિજ્ઞાનીઓ આ બાબતે ચર્ચા કરવાની થોડી હિંમત દાખવશે અને પોતાની કેટલીક રૂઢ માન્યતાઓ છોડવા તૈયાર થશે તો આપણને પ્રાચીન પદ્ધતિના લોકના સ્વરૂપમાં વૈજ્ઞાનિકતાના અવશ્ય દર્શન થશે. પ્રાચીન કાળના મહર્ષિઓએ દર્શાવેલ લોકનું સ્વરૂપ અર્થાત્ ચાર્ટ એવા અદ્ભુત છે કે આપણને એક જ નજરમાં આ સમગ્ર બ્રહ્માંડમાં રહેલ સર્વ પદાર્થના ભિન્ન ભિન્ન પ્રકાર સહિત, બધી જ અવસ્થા, લાક્ષણિકતાઓ સંબંધી પરિમાણાત્મક અને ગુણાત્મક સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં DNA અને RNA ન હોય તેવા સજીવ પદાર્થ સંબંધી શરીરના અસ્તિત્વ અંગે પણ સૂચન કરે છે. પાણી અંગેના જાપાનીઝ વિજ્ઞાની ડૉ. મસારુ ઈમોટોના છેલ્લા સંશોધનોએ સાબિત કર્યું છે કે કાર્બન રહિત પદાર્થમાંથી બનેલ શરીરવાળા સજીવ પદાર્થો પણ છે. Compassion Thank you Wisdom Heavy Metal I will kill you Music You fool Water before & after Buddhist prayer ડૉ. મસારુ ઈમોટો અને પાણીને સજીવ સિદ્ધ કરતા તેના પ્રયોગો જો વેક્રિય વર્ગણા સંબંધી પરમાણુસમૂહની લાક્ષણિકતાઓ અંગે સંશોધન કરવામાં આવે અથવા તેનો વિશેષ અભ્યાસ

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232