________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
આ લોક આવો છે. ઊંડી તપાસ કર્યા વિના એકે કહ્યું તેમ બીજાએ માની લઈને સ્વીકારી લીધું. તેવી જ રીતે કોઈ એક વક્તાએ કહ્યું કે “જીવ છે” એટલે બીજાએ માની લીધું. પછી તો પ્રવાહ જ ચાલ્યો. બધાંએ માની જ લીધું. બાકી આત્મા નામનો કોઈ પદાર્થ છે જ નહીં. આ ચાર્વાકદર્શનની વાત થઈ.
૧૩
(૨) મીમાંસકદર્શનમાં કુમારિલભટ્ટ પણ કહે છે કે વિજ્ઞાનયન દ્વૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુ વિનશ્યતિ ન = પ્રત્યક્ષગ્નાસ્તિ = ચેતનાનો સમૂહ જ આ પાંચ ભૂતો થકી ઉત્પન્ન થઈને પાછળ તેમાં જ વિનાશ પામી જાય છે. પરંતુ પરભવ જેવી કોઈ સંજ્ઞા નથી. આત્મા જેવું કોઈ ધ્રુવતત્ત્વ જ નથી કે જે પૂર્વભવથી આવ્યો હોય અને પુનર્ભવ પામે. માત્ર ભૂતોમાંથી ચેતનાનો ઘન પ્રગટ થાય છે અને ભૂતોમાં જ વિલય પામી જાય છે. માટે આત્મા નથી.
(૩) બૌદ્ધદર્શન કહે છે કે “ન રૂપં મિક્ષવ: ! પુત્રાત:'' બુદ્ધભગવાને તેમના દર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે હે મુનિઓ ? “આત્માનું કોઈ રૂપ નથી’” એટલે કે આત્મા જેવું કોઈ સ્વરૂપ = તત્ત્વ નથી.
આ બધા પાઠો આત્માના નાસ્તિત્વને સૂચવનારા છે અને આત્માના અસ્તિત્વને કહેનારાં વચનો પણ કોઈ કોઈ આગમપાઠોમાં સંભળાય છે. તથા ચ વેવઃ = વેદનો પાઠ આ પ્રમાણે છે.
(४) न हि वै सशरीरस्य प्रिया प्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये ન સ્પૃશત કૃતિ = શરીર સાથે રહેતા આત્માને પ્રીતિ-અપ્રીતિનો (રાગ અને દ્વેષનો) અભાવ હોતો નથી અર્થાત્ રાગ-દ્વેષ હોય છે. પરંતુ શરીર રહિત થઈને રહેતા શુદ્ધ આત્માને પ્રિયાપ્રિય (રાગ અને દ્વેષ) સ્પર્શતા જ નથી. આ પાઠ એમ સૂચવે છે કે આત્મા નામનો કોઈક પદાર્થ છે.
(૫) ‘‘અગ્નિહોત્ર ખુદુયાત્ સ્વર્ગામઃ'' સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. આ વાક્યનો અર્થ એ થાય છે કે જે મનુષ્ય અગ્નિહોત્ર યજ્ઞ કરે છે તે મરીને સ્વર્ગે જાય છે. હવે જો આત્મા હોય તો જ સ્વર્ગે જવાનું બને. તેથી આ પાઠ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે.
૧. ચાર્વાકદર્શનનું “બૃહસ્પતિસૂત્ર” છે. જે બૃહસ્પતિએ બનાવ્યું છે. તેના ઉપરથી “તત્ત્વોપપ્લવસિંહ” ગ્રંથ બનાવાયો છે. તેના પ્રારંભમાં ‘પૃથિવ્યપ્લેનોવાયવશ્રુત્વરિ તત્ત્વનિ'' આવું સૂત્ર છે.