SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ આ લોક આવો છે. ઊંડી તપાસ કર્યા વિના એકે કહ્યું તેમ બીજાએ માની લઈને સ્વીકારી લીધું. તેવી જ રીતે કોઈ એક વક્તાએ કહ્યું કે “જીવ છે” એટલે બીજાએ માની લીધું. પછી તો પ્રવાહ જ ચાલ્યો. બધાંએ માની જ લીધું. બાકી આત્મા નામનો કોઈ પદાર્થ છે જ નહીં. આ ચાર્વાકદર્શનની વાત થઈ. ૧૩ (૨) મીમાંસકદર્શનમાં કુમારિલભટ્ટ પણ કહે છે કે વિજ્ઞાનયન દ્વૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુ વિનશ્યતિ ન = પ્રત્યક્ષગ્નાસ્તિ = ચેતનાનો સમૂહ જ આ પાંચ ભૂતો થકી ઉત્પન્ન થઈને પાછળ તેમાં જ વિનાશ પામી જાય છે. પરંતુ પરભવ જેવી કોઈ સંજ્ઞા નથી. આત્મા જેવું કોઈ ધ્રુવતત્ત્વ જ નથી કે જે પૂર્વભવથી આવ્યો હોય અને પુનર્ભવ પામે. માત્ર ભૂતોમાંથી ચેતનાનો ઘન પ્રગટ થાય છે અને ભૂતોમાં જ વિલય પામી જાય છે. માટે આત્મા નથી. (૩) બૌદ્ધદર્શન કહે છે કે “ન રૂપં મિક્ષવ: ! પુત્રાત:'' બુદ્ધભગવાને તેમના દર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે હે મુનિઓ ? “આત્માનું કોઈ રૂપ નથી’” એટલે કે આત્મા જેવું કોઈ સ્વરૂપ = તત્ત્વ નથી. આ બધા પાઠો આત્માના નાસ્તિત્વને સૂચવનારા છે અને આત્માના અસ્તિત્વને કહેનારાં વચનો પણ કોઈ કોઈ આગમપાઠોમાં સંભળાય છે. તથા ચ વેવઃ = વેદનો પાઠ આ પ્રમાણે છે. (४) न हि वै सशरीरस्य प्रिया प्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये ન સ્પૃશત કૃતિ = શરીર સાથે રહેતા આત્માને પ્રીતિ-અપ્રીતિનો (રાગ અને દ્વેષનો) અભાવ હોતો નથી અર્થાત્ રાગ-દ્વેષ હોય છે. પરંતુ શરીર રહિત થઈને રહેતા શુદ્ધ આત્માને પ્રિયાપ્રિય (રાગ અને દ્વેષ) સ્પર્શતા જ નથી. આ પાઠ એમ સૂચવે છે કે આત્મા નામનો કોઈક પદાર્થ છે. (૫) ‘‘અગ્નિહોત્ર ખુદુયાત્ સ્વર્ગામઃ'' સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. આ વાક્યનો અર્થ એ થાય છે કે જે મનુષ્ય અગ્નિહોત્ર યજ્ઞ કરે છે તે મરીને સ્વર્ગે જાય છે. હવે જો આત્મા હોય તો જ સ્વર્ગે જવાનું બને. તેથી આ પાઠ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે. ૧. ચાર્વાકદર્શનનું “બૃહસ્પતિસૂત્ર” છે. જે બૃહસ્પતિએ બનાવ્યું છે. તેના ઉપરથી “તત્ત્વોપપ્લવસિંહ” ગ્રંથ બનાવાયો છે. તેના પ્રારંભમાં ‘પૃથિવ્યપ્લેનોવાયવશ્રુત્વરિ તત્ત્વનિ'' આવું સૂત્ર છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy