SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ ગાથાર્થ - વળી આગમો પરસ્પર વિરુદ્ધ છે. આ કારણથી પણ સંશય થાય એ જ ઉચિત છે. તેથી જીવ સર્વ પ્રમાણના વિષયથી રહિત છે. આવી ઈન્દ્રભૂતિ ! તમારી બુદ્ધિ છે. 7/૧૫૧૩/ વિવેચન - વળી સર્વે દર્શનકારોનાં બધાં જ આગમો પરસ્પર વિરુદ્ધ જણાય છે. તેથી પણ આત્માને વિષે સંદેહ થાય એ જ ઉચિત છે. પરંતુ નિર્ણય થઈ શકતો નથી. કારણ કે એક દર્શનકારનું આગમ “આત્મા નથી” એમ કહે છે અને બીજા જ દર્શનકારનું આગમ “આત્મા છે” આમ કહે છે. આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પાઠવાળાં આગમો હોવાથી કોનું આગમ સાચું અને કોનું આગમ ખોટું માનવું? આ કારણથી પણ આત્માને વિષે સંદેહ થાય તેમ છે. આગમોનું પરસ્પર વિરુદ્ધ કથન આ પ્રમાણે છે - (૧) કેટલાંક આગમો આત્માના નાસ્તિત્વને જ સૂચવે છે. નાસ્તિક દર્શનકારો (ચાર્વાક)નો આગમપાઠ આ પ્રમાણે છે કે “પતાવાનેવ નોર્થ યાવનિક્રિોવર:” = ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી જેટલો લોક દેખાય છે તેટલો જ આ લોક છે. સ્વર્ગ-પાતાલ. દેવનરક જેવું કશું જ નથી. મદ્રે વૃક્ષપદું પડ્યું, યક્ વા વહુશ્રુતા: ૨ . હે ભદ્ર ! તું વરુના પગલાંને જો કેમકે બહુકૃતો પણ તેમ જ કહે છે. સારભૂત વાર્તા આ પ્રમાણે છે - કોઈ એક ગામમાં પતિએ પત્નીને કહ્યું કે સંસારી લોકો ગાડરીયા પ્રવાહ જેવા હોય છે. સાચું કંઈ જાણતા જ નથી અને એકે કહ્યું તેમ બીજો કહે છે અને બીજાએ કહ્યું તેમ ત્રીજો કહે છે. પત્નીએ પુછ્યું કે આ કેવી રીતે ? તો તને જણાવું છું. એમ કહીને અર્ધરાત્રિ વીત્યા પછી સર્વે લોકો સુઈ ગયા ત્યારે પતિએ કહ્યું કે મારી સાથે ચાલ, બન્ને ગામની બહાર ગયા અને પુરુષે પત્નીને કહ્યું કે જો હું બે હાથને પગની જેમ ચાલવામાં રોકીને વરુની જેમ ચાર પગે ચાલું છું. તું બરાબર દેખ અને મારી સાથે ચાલ. પુરુષ વરુની જેમ ચાર પગે ચાલીને ગામની બહારથી ગામની અંદર આવ્યો. હાથ અને પગથી રેતીમાં વરુના જેવા આકારો કર્યા. ઘરે આવીને બને સુઈ ગયાં. પત્નીને કહ્યું કે તને ખબર છે કે આ પગલાં મેં જ કર્યા છે છતાં સવારે લોકો શું કહે છે ? તે તું જો. પ્રભાત થયું. એક માણસ નીકળ્યો, તેણે રેતીમાં વરુનાં પગલાં જોયાં. જે આવે તેને કહે છે કે આજે રાત્રે ગામમાં વરુ આવ્યું હતું. જુઓ રેતીમાં આ પગલાં પડેલાં છે. પહેલાએ બીજાને, બીજાએ ત્રીજાને, ત્રીજાએ ચોથાને કહ્યું. આખું ગામ ભેગું થઈ ગયું. બધા જ કહેવા લાગ્યા કે હા ચોક્કસ આજે રાત્રે ગામમાં વરુ આવ્યું છે. આ પતિ પોતાની પત્નીને કહે છે કે હે ભદ્ર ! તું જો કે આ ગામના બહુજ્ઞાની પુરુષો પણ “આ વરુના પગલાં છે” આમ કહે છે. સાર એ છે કે વરુનાં પગલાં નથી મારાં જ પગલાં છે. આ તું જાણે છે તો પણ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy