________________
૧૪ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ (૬) કપિલ ઋષિના બનાવેલા સાંખ્યદર્શનમાં પણ કહ્યું છે કે - “મતિ પુરુષો હર્તા નિનુ મોતા રિરૂપ:' = પુરુષ (આત્મા) નામનું એક તત્ત્વ આ સંસારમાં છે કે જે અકર્તા છે, નિર્ગુણ છે, ભોક્તા છે અને જ્ઞાનમય છે” ઈત્યાદિ પાઠો આત્માના અસ્તિત્વને સુચવનારા છે. તેથી આગમપાઠો પરસ્પર વિરુદ્ધ અર્થને કહેનારા હોવાથી આગમપ્રમાણથી પણ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. વૈશેષિકદર્શનકારો પ્રત્યક્ષઅનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણ માને છે. તેથી તેમના મતને અનુસરીને ત્રણ પ્રમાણોથી “આત્મા નથી” આ વાત મૂલગાથાઓમાં સમજાવી છે. પરંતુ ઉપમાન અને અર્થપત્તિ નામનાં શેષ બે પ્રમાણોથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. તે સ્વયં સમજવું. તે આ પ્રમાણે છે -
ઉપમાન નામના પ્રમાણથી પણ આત્મા જણાતો નથી. કારણ કે ઉપમાન પ્રમાણ તેને કહેવાય છે કે એકની સદેશતાથી દૂર રહેલા બીજા પદાર્થનું જ્ઞાન થાય છે. જેમકે “જેવી ગાય હોય છે તેવું જ ગવય (રોઝ) હોય છે” ઈત્યાદિ ઉદાહરણોમાં સાદેશ્યધર્મ દૂર રહેલા પદાર્થમાં પણ સમાનતાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. પરંતુ અહીં ત્રણે ભુવનમાં પણ આત્માના સરખો બીજો કોઈ પદાર્થ જ નથી કે જેના દર્શનથી તેના જેવો “આત્મા નામનો પદાર્થ છે” એમ બોધ કરીએ. માટે ઉપમાન ન હોવાથી ઉપમેય એવો આત્મા પણ નથી.
પ્રશ્ન - કાલ-દિશા-આકાશ વગેરે પદાર્થો આત્માની તુલ્ય છે તે પદાર્થોની ઉપમા આપીને આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી શકાય છે. કારણ કે કાલ-દિશા-આકાશ જેમ અમૂર્ત છે (અરૂપી) છે તેમ આત્મા પણ અમૂર્ત છે. આમ આત્માનું અસ્તિત્વ સાધી શકાય
| ઉત્તર - કાલ-દિશા આકાશ વગેરે પદાર્થો છે જ એવો નિયમ નથી. તે પદાર્થો પણ વિવાદના વિષયવાળા છે. કેટલાક દર્શનકારો તેનું અસ્તિત્વ માને છે. કેટલાક દર્શનકારો તે પદાર્થોનું અસ્તિત્વ માનતા નથી. તેથી આ પદાર્થો પણ વિવાદના વિષયવાળા છે. હજુ તેની ચર્ચા કરવાની જ બાકી છે. આગળ ઉપર અવસરે કરીશું. તેથી જે પદાર્થોનું અસ્તિત્વ વિવાદનો વિષય હોય તેનું સાદૃશ્ય જણાવીને આત્માની સિદ્ધિ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. માટે ઉપમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી. (ટીકામાં તષ્ઠિર્વદ્ધત્વીત્ જે લખ્યું છે તેનો ભાવ એ છે કે તે પદાર્થોના અસ્તિત્વની ચર્ચા હજુ આત્માના પગની સાથે બંધાયેલી છે. કરવાની બાકી છે. તે પદાર્થોનું પણ અસ્તિત્વ અમને સિદ્ધ નથી.)
અર્થાપત્તિ નામના પ્રમાણથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. કારણ કે