Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 233
________________ ૨૯ જોઈ બાપ બધી વ્યવરયા કરાવે છે. જીવનનાં ત્રણ દુઃખે છે; સંગ; ઘડપણ અને મરણ. રોગ હોય તો કોઈ પણ જાતનું સુખ રહેતું નથી. ઘડપણ આવતાં શરીર કૃશ થઈ જાય; સ્વભાવ બદલાઈ જાય, મૃત્યુ આવે એટલે માણસ જાય તે ફરી જોવા ન મળે. એટલે રોગી, વૃદ્ધ અને શબ ત્રણે ન દેખાડવા એવો રાજાએ પ્રબંધ કર્યો. પણ, બનવાકાળે બન્યા વગર રહેતું નથી. રાજાએ જે વાતની મનાઈ કરી હતી તે જ વાતો બુદ્ધને જોવા મળે છે. તેમાંથી તેમને મંથન જાગે છે કે “શું મને પણ રોગ થશે ? શું હું પણ ઘરડે થઈ? શું મારું પણ મરણ થશે ? જે સુખેમાં હું રહું છું તે કાયમી નથી. તે પછી કાયમી શાશ્વત સુખ ક્યુ છે?” એના ચિંતનમાં વૈરાગ્યને ઉદ્દભવ થાય છે. કાયમી સુખની શોધ માટે ઘર, કુટુંબ, મહેલ ત્યાગવાં જોઈએ. મનોમંથન ઉગ્ર બને છે અને બુદ્ધ સૂતલી પત્ની, વિલાસપૂર્ણ મહેલ; પ્રિયપુત્ર બધાને ત્યાગ કરીને નીકળે છે. તેમનું આ મનોમંથન માનવ-માનસના મનોમંથનોમાં આજે પણ શ્રેષ્ઠ શ્રદ્ધાને લાયક ગણાય છે. તેઓ મહેલ ત્યાગીને એકદમ ઉગ્ર તપ વગેરેમાં ઊતરી પડે છે. તેમને વેગ પ્રચંડ હતું એટલે આકરા ઉપવાસ ઉપર ઊતરે છે. એટલી બધી અશકિત વધી જાય છે કે ઊભા રહેવાની શકિત રહેતી નથી. લેથડિયાં આવે છે. પણ પ્રકાશ મળતો નથી. એ સમયે ત્યાંથી વારાંગનાઓ પસાર થાય છે. તે એટલું બોલે છે: “વાજિંત્રના તાર બહુ ન ખેચશો તેમજ બહુ ઢીલા પણ ન રાખશે. મધ્યસર રાખજે.” બુદ્ધને તે પ્રસંગ ઉપરથી બોદ્ધ મળે છે. એકવાર અતિવિલાસમાં હતા. હવે અત્યંત તપ કરીને શરીર કૃશ કરી નાખેલું. અતિ કહેવાય એવું તપ કર્યું. આ બે છેડામાંથી જે તત્વ મળ્યું તેને મધ્યમ પ્રતિપદા, માગ કહેવામાં આવે છે. આમાંથી બૌદ્ધ ધર્મ પ્રકાશયો અને ધીમે ધીમે ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280