Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 272
________________ ૨૪૮ પણ, લાલચીને ધીમે ધીમે પિતાનું પિત પ્રકાશવું શરૂ કર્યું, બૌદ્ધ ધર્મની સારી વાતે કાઢી નાખી, પંચશીલને પણ ફગાવી દીધું. (અને હવે તેને આક્રમક પજે ભારત ઉપર પણ પડ્યો છે.) આનું મૂળ કારણ તે ચીનના જૂના ધર્મો છે અને ઉપટિયો બૌધ્ધ ધર્મ છે. જેણે કદિ પ્રજાનું ઘડતર જ ન થવા દીધું. તેણે ચીની પ્રજાને વિલાસી, અફીણી અને વ્યસની કરી મૂકી હતી. આજે ચીનમાં ક્યાંક તાઓ ધર્મ કે કન્ફયુશિયસે બતાવેલ નૈતિક, સામાજિક બંધારણના અવશેષો રહ્યા હશે. મૂળ વસ્તુ આજે રહી નથી.' અ જરથોસ્તને ધર્મ : ચીન અને જાપાનના પ્રાચીન અને અર્વાચીન ધર્મ વિષે વિચાર થઈ ગયા છે. ભારતના ધર્મો અંગે પણ વિચાર થયું છે. તેમજ અરબસ્તાન અને પેલેસ્ટાઇનના ધર્મો વિષે પણ વિચારી ગયા છીએ. આમ બધા ધર્મોને વિચાર થઈ ચૂક્યો છે. કેવળ એક જ ધર્મ બાકી રહે છે તે ઈરાનને અશો જરથોસ્તી ધર્મ. - લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં ઇરાનમાં અશોજરથુસ્ત પેદા થયા. એમણે પારસી કે રસ્તી ધર્મ ઉપર ખેડાણ કર્યું. એમણે બે વાત ઉપર ભાર મૂક્યો જે અશો-જરથોસ્ત શબ્દમાંથી ઉદ્દભવે છે. “અ” શબ્દ અસ નામની સંસ્કૃત ધાતુમાંથી બનેલ “અશ' શબ્દ ઉપરથી બન્યો છે. જેનો અર્થ છે વિદ્યમાન થવું. એને અર્થ છે સત્ય. સત્યને પયગામ આપનારમાં પવિત્રતા હોવી જ જોઈએ એટલે જરથોસ્ત ધર્મમાં કહ્યું છે – નેક મનસ્મી, નેક ગવક્કી, નેક કુશ્તી’ –પવિત્ર વિચાર, પવિત્ર વાણી અને પવિત્ર કર્મ–આ ત્રણે સૂત્રોમાં પવિત્રતાને મહત્ત્વ અપાયું છે. આ શબ્દો વેદકાળની સંસ્કૃત ભાષા સાથે મળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280