Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 256
________________ ૨૨. આપણે જોઈ ગયા તેમ જૈનધર્મ તે ચાર તીર્થમાં બે તીર્થ તો નારીનેજ સેપ્યા છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચારેને સાથે રહેવાનું સૂચવ્યું છે. સાધુઓ ઘેર ઘેર ભિક્ષા લેવા જાય છે ત્યાં તેમને મેટા ભાગે તે સ્ત્રીઓના હાથેજ ગોચરી લેવી પડે છે. જે સ્ત્રીના પડછાયા માત્રથી બગડી જવાતું હોય તો સાધ્વીઓને પુરૂષ કેમ વાંદવા જાય? જૈનધર્મ તે નારીને પણ કલ્યાણમયી માને છે. વિકારોથી સજાગ રહેવાનું વિધાન અવશ્ય છે. તે જેમ પુરૂષ માટે છે તેમજ સ્ત્રી માટે પણ છે. એમાં જોખમ નથી; અને છે તો જોખમ ખેડીને પાર ઉતરવા જેવું છે. આટલી બધી સ્પષ્ટ વસ્તુ હોવા છતાં જેઓ ઊંડાણમાં નથી ઊતર્યા અને રૂઢિને પકડીને બેઠા છે તેઓ કહે છે કે “સ્ત્રી કથા ના કરવી!” એટલે કે સ્ત્રી સંબધી વાતજ ન કરવી! શાસ્ત્રમાં તે ઠેર ઠેર સ્ત્રીઓની કથા જ નહીં; અંગોપાંગના વણને પણ આવે છે. સ્ત્રી કથાને ખરો અર્થ તે એ છે કે સ્ત્રીઓના વિકારની કથા ન કરવી. માતજાતિમાં પડેલા, વાત્સલ્ય, સેવા, દયા, ક્ષમા, વગેરે ગુણેને કેમ ભૂલી શકાય? માતજાતિજ રત્નકક્ષ ધારિણી છે. તેણેજ જગતના મહાન પુરુષોને જન્મ આપે છે. એ ભૂલી જઈને તેને તરછોડવાથી કે અપમાનિત કરવાથી બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં અને તેના અનુરૂપે સંયમ-સાધનામાં કચાશ રહેશે. - જૈન સાધુ માટે તે જૈન ધર્મે કહ્યું છે: “તું મુનિ ભલે થા. એક કુટુંબને છેડી જગતને કુટુંબ માનજે. શ્રાવકશ્રાવિકાને માતા-પિતા સમાન માનજે. તેમજ પોતાના કુટુંબને પણ સંયમના માર્ગે ખેંચજે! ભગવાન મહાવીરે પિતાની એક માત્ર પુત્રીને અને જમાલિ નામના જમાઈને સંયમ માર્ગે ખેંચ્યા. એવુંજ અન્ય મહાપુરૂષેનું છે. ભગવાન બુદ્દે રાહુલને ખેંચો. ઈસા મસીહે ગેલેલિયો જેવા માછીમારને સંયમના ભાર્ગે જવાનું શીખવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280