Book Title: Chandraprabhu Swami Charitra Author(s): Jain Atmanand Sabha Publisher: Jain Atmanand Sabha View full book textPage 6
________________ ભાડા કરાર : પ્રસ્તાવના. RE! છે. મ હહાન પુરૂષના જીવન ચરિત્ર જેવી ઉપકારક વસ્તુ બીજી ભાગ્યે G IN જ હોય છે. તેવા જીવન ચરિત્ર વાંચવાથી મનુષ્યને આત્મા Re તેજસ્વી થાય છે, તેમની આશામાં નવું જીવન આવે છે છે અને શ્રદ્ધા દઢ થાય છે; સાથે મહત્વાકાંક્ષા જાગે છે અને તેવા મહા પુરૂષ થવાની ભાવના સતેજ થાય છે. આવા અપૂર્વ જીવનચરિત્રના આ રીતે સહવાસમાં આવવાથી–રહેવાથી અને તે માંહેના ઉત્તમ આત્માઓના છાત જેવા કે વાંચવાથી તે તે પવિત્ર આત્માઓના સમાગમ–સહવાસમાં આવવા બરાબર છે. ઉન્નત પુરૂષોના ચરિત્રે વાંચવાથી વાચક સામાન્ય મનુષ્ય હોય તે પણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી પિતાનું જીવન ઉત્તમ બનાવી શકે છે અને તેની સુગંધ જગતમાં પ્રસારી મુકે છે. શિક્ષણવેત્તાએ ધાર્મિક શિક્ષણના ક્રમમાં જીવન ચરિત્રોને મહત્વનું પગથીયું માને છે. બાળ, વૃદ્ધ, સ્ત્રી, પુરૂષ સર્વ કોઈને બીજા કરતાં સુંદર ચરિત્ર, વાત, કથાઓ વાંચવી સાંભળવી વિશેષ ગમે છે. શિક્ષણ પદ્ધતિમાં પણ વાત કે કથાદ્વારા શિક્ષણ આપવાની રીત અતિ સુંદર છે. ચરિત્રની જેમ દ્રવ્યાનુયેગના વિષયોનું શિક્ષણ પણ કથાના રૂપમાં ગોઠવી આપવામાં આવે તે, શરૂઆતમાં બાળકો સહેલાઈથી શીખી શકે છે. શિક્ષણ પદ્ધતિ તરીકે વાત પદ્ધતિ શિક્ષણ લેવામાં અમૂલ્ય સાધન અત્યારે થઈ પડયું છે, ધાર્મિક શિક્ષણ જેવી બાબતમાં આ પદ્ધતિને આશ્રય બહુ લાભદાયક નીવડે છે એમ શિક્ષજુના અનુભવી અધ્યાપકે અત્યારે માને છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 420