________________
XIII
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
છે તેવું કારણપણું મારામાં નથી. આ ગાથાઓમાં આત્માને સકલ કર્તૃત્વનો અભાવ દર્શાવ્યો છે ને?!
(૫ ) અકર્તા ભગવાન આત્મા પરિણામના અનુમોદકપણે જણાતો નથી.
આ ગાથામાં અનુમોદનાના બોલમાં અકર્તા સ્વભાવની ઉત્કૃષ્ટતા રહેલી છે. કર્તાબુદ્ધિને મૂળમાંથી ઉન્મુલિતમ્ કરાવનાર છે. હું તો કરતો નથી પણ બીજા પાસે પણ કરાવતો નથી અને બીજો કરે તેને અનુમોદન આપું તેવો મારો સ્વભાવ નથી. કેમકે જાણવાના સ્વભાવમાં ક્યાંય કરવું આવતું જ નથી. શ્રદ્ધાને બળવાન કરવામાં આ સમીકરણ સબળ હેતુરૂપ છે.
આ અનુમોદનાના બોલમાં અધ્યાત્મની પરાકાષ્ટા રહેલી છે. ભાવિકાળે શુક્લધ્યાનની શ્રેણી મને આવશે ત્યારે એ પરિણામનો હું અનુમોદક નહીં બનું તેની સામ્પ્રતકાળે આ ગાથામાં હું પ્રતિજ્ઞા કરું છું. પર્યાયની નિર્મળતાને બીજો કરે તો ઠીક તેમ ઈનડાયરેકટ કર્તા થતો નથી. જો હું આ વિશેષભાવોનો અનુમોદક બનું તો દૃષ્ટિમાંથી સામાન્ય જ્ઞાયકભાવનો ઉચ્છેદ થઈ જાય. પરિણામનું કરવું. કરાવવું, અનુમોદવું ખૂણે-ખાંચરે ક્યાંય મારા ત્રિકાળી ધ્રુવભાવમાં નથી.
અકર્તા ભગવાન શાયક જેમ કર્તાપણે, કારણપણે, કાયિતાપણે જણાતો નથી તેમ ભગવાન શાયક અનુમોદકપણે પણ જણાતો નથી. આ ગાથાની અદ્દભૂતતા એ છે કે જાણનાર ભગવાનને ચોતરફથી અકર્તા સિદ્ધ કર્યો છે. જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા આ જ છે. આ અનુભવનો નિચોડ છે. આ સિવાય આગમ-પરમાગમ ને બીજું કાંઈ કહેવાનું જ નથી. આમ આ ગાથામાં અને પ્રવચનોમાં અકર્તાભાવનું સર્વાંગી નિરૂપણ સંપ્રજ્ઞાત થાય છે. અકર્તા સ્વભાવનું વિપુલ સામ્રાજ્ય પ્રાદુર્ભૂત થાય છે.
(૬) સત્તા, અવબોધ, ૫૨મચૈતન્ય, સુખની અનુભૂતિમાં લીન, આ ચારેયનું આગમ અધ્યાત્મની વિવિક્ષાથી સ્વરૂપ:
(૧) સત્તાઃ- અનાદિ અનંત અસ્તિત્વ તેનો નિષેધ કર્યો અથવા તો અનાદિ અનંત અવિનાશી ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ ન કરી તેથી સાદિ સાંત આયુષ્યની યોગ્યતા પ્રાપ્ત થઈ.
(૨) અવબોધઃ- અનાદિ અનંત, અખંડ, અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવ ને ન જાણ્યો, તેની વિરાધના કરી તો ખંડ-ખંડ પાંચઇન્દ્રિય મળી.
(૩) ૫૨મ ચૈતન્યઃ- સહજ વીર્ય શક્તિના ધારક સ્વભાવનો નિષેધ કરતાં અલ્પ વીર્ય એટલે મનબળ, વચનબળ, અને કાયબળ મળ્યા. અનંતવીર્ય સંપન્ન અનંત ચતુષ્ટય સ્વભાવની દૃષ્ટિ ન કરી તેથી જ તો મનબળ, વચનબળ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com