________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
પ્રવચન નં-૬ મુનિરાજને શુદ્ધોપયોગ જ્યારે છૂટી જાય છે-છકે ગુણસ્થાને આવે ત્યારે શુદ્ધપરિણતિ રહે છે.
શુદ્ધપરિણતિની સાથે પાંચ મહાવ્રતના પરિણામ, અઠ્ઠાવીસ મૂળગુણનો વિકલ્પ હોય છે. આ નિશ્ચય ચારિત્ર એટલે શુદ્ધોપયોગની વાત છે. શુદ્ધપરિણતિની વાત નથી. ચારિત્રનાં બધા ભેદોમાં તમારે શુદ્ધોપયોગ જ લેવો. શુદ્ધોપયોગ કેમ થાય તેનો આ અધિકાર છે. છઠ્ઠામાંથી જીવ સાતમામાં કેમ જાય છે.....એમાં બતાવે છે. અલૌકિક વાત છે.
આ પાંચ ગાથા ૭૭ થી ૮૧ એનો સાર તમે સવારે આવ્યાને ત્યારે આ ચાલતું'તુ. આ પાંચ ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે, “હું જાણનાર છું કરનાર નથી” આ ગાથાનો સાર સર્વ શાસ્ત્રનો સાર છે. “હું જાણનાર છું કરનાર નથી.”
હવે જો કરનાર નથી ક્રિયાનો તો એનો જાણનારેય નથી. તો કોનો જાણનાર છું? કે: જાણનારને જાણું છું. “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જાણું છું- ભાવું છું-નમું છુંઢળું છું એમાં એકાગ્ર થાઉં છું. “ જાણનાર છું કરનાર નથી” બસ પાંચ ગાથાનો આ સાર છે.
શુદ્ધોપયોગનોય કરનાર નથી. જાણનાર છું કરનાર નથી. કેમકે કરનાર નથી એમાં શુભાશુભનો કરનાર નહીં અને શુદ્ધોપયોગનો કરનાર એવા બે ભેદ એમાં નથી. કરનાર નહીં અને કેવળ જાણનાર. સંવર-નિર્જરા-મોક્ષનો કરનાર નથી જાણનાર છું. એ અધિકાર છે આ. પરિણામ માત્રનો કરનાર નથી. બધા પરિણામ લઈ લીધા કયા પરિણામ બાકી રહ્યા? એમાં પરમાર્થ પ્રતિક્રમણ આવી ગયું. માર્ગણાસ્થાનમાં સંયમલબ્ધિના સ્થાન આવી ગયા. એમાં યથાખ્યા ચારિત્રશુદ્ધોપયોગ અને કેવળજ્ઞાન આવી ગયું ચારિત્રનું ફળ શુદ્ધોપયોગ એનો હું કરનાર નથી એ શુદ્ધોપયોગ થાય એનો હું જાણનાર છું.
આહાહાશુદ્ધોપયોગ ક્યારે થાય? કરવાનો વિકલ્પ છૂટે ત્યારે. સમ્યકદર્શન ક્યારે થાય? કરવાનો અભિપ્રાય છૂટે ત્યારે અને શુદ્ધોપયોગ ક્યારે થાય? કે કરવાનો વિકલ્પ છૂટે તો!! ફરીથી શું કહ્યું કેઃ કરવાનો સંકલ્પ છૂટી જાય-અભિપ્રાય છૂટી જાય ત્યારે સમ્યકદર્શન થાય છે. અને કરવાનો વિકલ્પ છૂટે છે ત્યારે શુદ્ધોપયોગ થઈ જાય છે.
લખવાનો વિકલ્પ ઉઠે છે તો શુદ્ધોપયોગ નહીં આવે. કોઈને વાત કરવાનો ઉપદેશ આપવાનો વિચાર આવશે એ વિકલ્પના કાળે શુદ્ધોપયોગ આવશે !? કરવાનો અભિપ્રાય શ્રદ્ધાને બાધક છે. અને કરવાનો વિકલ્પ ચારિત્રને બાધક છે. શ્રદ્ધામાં કરવું છૂટી ગયું છે પણ હુજી ઠરાતું નથી ત્યાં સુધી કરવાનો વિકલ્પ આવે છે. તે સહજ દશા છે. તે વિકલ્પનો કરનાર નથી. પણ વિકલ્પ આવે છે એનો નિષેધ કરીને અંદરમાં જતા રહે છે. કેમકે અહીંયાં શ્રદ્ધાનો દોષ નથી કાઢવો ચારિત્રનો દોષ કાઢવો છે. શ્રદ્ધાનો દોષ તો મુનિરાજને નીકળી ગયો છે. પણ મિથ્યાદષ્ટિ હોય એને મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવા આપણે એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com