Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 306
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ર૬૯ પ્રમાણ ત્રણ સાધન કહ્યાં છે. (આત્માનો) નિર્ણય કરવા માટે આટલું એને સાધન હોય, પછી અનુભવના કાળે વિકલ્પાત્મક નય હોતી નથી. (અહીંયાં કહે છે કે ) અનુભવ કરતાં એટલે જ્ઞાન કરતાં તો ભૂતાર્થ છે, ને સત્યાર્થ છે. હવે આગળ, હવે નિર્વિકલ્પ ધ્યાનની વાત કરે છે. અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગિત કરાયેલા એટલે કે આ દ્રવ્યાર્થિક નયને આ પર્યાયાર્થિકનય, એવો જે સવિકલ્પ જ્ઞાનનો વ્યાપાર હતો, એનાથી એ નહિ આલિંગિત છે (આત્મ) વસ્તુ! જો એનાથી આલિંગિત થાય તો એને આત્માનો અનુભવ અક્રમે થઈ શકતો નથી. ક્રમ પડે છે એથી તો નયપક્ષ ઉત્પન્ન થાય છે ને આકુળતા થાય છે. આહાહા ! એવી ઝીણી સંધિની વાત કરે છે. છેલ્લી કોટીની વાત ચાલે છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવને પણ જ્યારે સમ્યકદર્શન થાય, એની પહેલાં એ નય દ્વારા આત્માના સ્વરૂપનો નિર્ણય કરે છે. વિકલ્પાત્મક નય દ્વારા સૌપ્રથમ નિર્ણય કરે છે, પછી...એ વિકલ્પવાળી જે નય છે એ છૂટીને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય છે. તો...દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગિત-(અર્થાત્ ) દ્રવ્યાર્થિકનયનો વિકલ્પ અને પર્યાયાર્થિકનયનો વિકલ્પથી એ આત્મા આલિંગિત થતો નથી-એનાથી આત્મા જાણવામાં આવતો નથી. (આત્મા) પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી. (કહે છે) એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે ને અસત્યાર્થ છે. એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય (સ્વરૂપ) માં ચિત્તને એમાં એકાગ્ર કર્યું! એટલે કે જ્ઞાનની પર્યાયમાં (અનુભવકાળે) આખો આત્મા ય થાય છે. તેનું એકાગ્ર એટલે આલંબન છે દ્રવ્યગુણપર્યાયવસ્તુનું-એ ધ્યય થઈ ગઈ છે, દષ્ટિનો વિષય બની જાય છે કે એ ભૂતાર્થસ્વભાવ થાય છે, એમ નથી. દ્રવ્ય-ગુણ પર્યાયએ પરિણામી દ્રવ્ય છે. પરિણામી દ્રવ્ય જ્ઞાનનું જ્ઞય થાય છે, અપરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય થાય છે. એ તો બહેનશ્રીના વચનામૃતમાં ૨૦૧ માં ઘણી વાત આવી 'તી. ગયા વખતે બુધવારે આપણે ગુરુદેવનું વ્યાખ્યાન મલાડનું સાંભળ્યું એમાં ઘણી ચોખવટને ઘણાં ખુલાસા કર્યા. અપરિણામી ને નિષ્ક્રિય, બે શબ્દો બહેનશ્રીએ પણ એમાં લીધા છે. પછી... અપરિણામીપૂર્વક પાછુ પરિણામીપણું પણ છે. ઈ પણ એમાં (બોલ ૨O૧) લીધું છે. એ જ વાત આમાં છે કે અપરિણામીપૂર્વક, પરિણામીનું જ્ઞાન થાય છે. જો બહેનશ્રીના વચનામૃત' (પુસ્તક) હોય તો જોઈ લઈએ છે? છે લ્યો! મૂળ શબ્દો છે એમના. આ વાત એવી છે કે ક્યાંય...કયાંય કોઈનો પક્ષ-અરે! વ્યકિતના પક્ષથી તો આત્માનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315