Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 307
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭) પ્રવચન નં-૨૫ અનુભવ દૂર છે, વ્યવહારના પક્ષમાં રોકાય તો પણ આત્માનો અનુભવ દૂર છે, નિશ્ચયના પક્ષમાં રોકાય તોપણ આત્માનો અનુભવ દૂર છે એવી અપૂર્વ વાત બહાર આવી ગઈ છે ગુરુદેવના શ્રીમુખેથી અને શાસ્ત્રોના આધારથી...આવી બધી-ઘણી વાતો છે! જુઓ! ૨૦૧ નંબરનો બોલ છે. (બહેનશ્રીના વચનામૃતમાં) અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે-આશ્રય કેનો લેવો? પર્યાયનો કે અપરિણામીનો? પહેલી લીટી છે આમાં, અપરિણામી (કહ્યું તો) અપરિણામી તો પુદ્ગલ (દ્રવ્ય ય) છે, અપરિણામી “નિજ' આત્માનો-આત્મા કેવો છે? અપરિણામી છે. અપરિણામી (નિજ આત્માનો) આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે, હવે અપરિણામી એટલે શું? કે આખો જ્ઞાયક! શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ “અપરિણામી ” નિજાત્મા છે! શુદ્ધનયનો જે વિષય જ્ઞાયક એકભાવ કહ્યો છે. પ્રમત્ત-અપ્રમત્તથી રહિત, તે જ અપરિણામીનો અર્થ જ્ઞાયક લેવો એમ કહ્યું. શાસ્ત્રનો આધાર આપીને (બહેનશ્રીએ કહ્યું ) ખુલાસો કર્યો. અપરિણામી એટલે આખો જ્ઞાયક, શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ “અપરિણામી ” નિજાત્મા. પ્રમાણ-અપેક્ષાએ/હવે જ્ઞાનપ્રધાનની વાત આવી. દષ્ટિપૂર્વક જ્ઞાનની વાત કરી, પહેલી દષ્ટિીની વાત કરી. (અપરિણામીની) દષ્ટિ નથી તો જ્ઞાન ખોટું છે. (કહે છે) પ્રમાણઅપેક્ષાએ આત્મદ્રવ્ય..માત્ર અપરિણામી જ નથી. પ્રમાણ જ્ઞાનથી જ્ઞાન પ્રધાનતાથી જુઓ તો કેવળ અપરિણામી જ નથી..અપરિણામી તેમજ પરિણામી છે. પાછું કેટલો ખુલાસો કર્યો છે! પરિણામી છે એમ લખી શકત, પણ એમ ન કહેતાં અહીંયાં પરિણામી કહેવા પહેલાં (એમ કહ્યું છે) અપરિણામી તે જ પરિણામી છે, સમય એક, બે સમય નથી. વિચારવામાં વિકલ્પમાં બે સમય આવે (ક્રમ વડે) અનુભવના કાળે બે સમય નથી. (હવે કહે છે) પણ અપરિણામી તત્ત્વ ઉપર દષ્ટિ દેતાં આશ્રય કરતાં પરિણામ ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી અલોકમાં જતા નથી પરિણામ, અલોકાકાશમાં વઈ જતી હશે પર્યાય? ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં જતા રહે ? પરિણમન તો પર્યાયસ્વભાવને લીધે થયા જ કરે છે, દ્રવ્યસ્વભાવને લીધે નહીં, આમાં નથી હો, એ તો હું ઉપરથી કહું છું એમાં નથી લખ્યું, આમાં તો આટલું જ છે બહુ માર્મિક વાત છે! (કહે છે) પરિણમન તો પર્યાય-સ્વભાવને લીધે થયા જ કરે છે, એનો પરિણમનપર્યાય-સ્વભાવ એ પરિણમવું એનો સ્વભાવ છે, નિષ્ક્રિય કાંઈ પરિણામરૂપ થતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315