Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 311
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ પ્રવચન નં-૨૫ કર્મ નથી પણ જ્ઞાન આત્માનું કર્મ થાય છે એમ કર્તાને કર્મનો વિભાગ કરીને સમજાવવામાં આવે છે. ખરેખર તો...કર્તા ય આત્મા છે ને કર્મ પણ આત્મા જ છે. કરણ પણ આત્મા ઈ પરિણામી આખો-સક્રિય આત્મા, જે કારકના ભાવે પરિણમ્યો-અભેદકારક રૂપે ત્યારે જ આત્મા, જ કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન ને અધિકરણપણે પરિણમે છે. આહાહા! નિષ્ક્રિયના પકારક અને સક્રિયના પકારક-એ કંઈ પણ ભેદ દેખાતો નથી. દષ્ટિના વિષયમાં નિષ્ક્રિય પદ્ધારકનો ભેદ દેખાતો નથી–નિર્વિકલ્પ ધ્યાનમાં સક્રિય કારકના ભેદો એવા જે આ કર્તા ને આ કર્મ આદિ કારકના ભેદો દેખાતા નથી ત્યાં તેને વિકલ્પની ઉત્પત્તિ ન થાય ને (આત્માનો) અનુભવ થાય, એવું અનાદિ મિથ્યાદષ્ટિ જીવને પ્રથમ સમ્યકદર્શન-ઉપશમ સમ્યક્દર્શન થાય ત્યારે આ સ્થિતિ થાય, અને જ્યારે છઠ્ઠીમાંથી સાતમામાં જાય ત્યારે પણ એમને આ સ્થિતિ હોય છે. એ નિયમ એક જ છે! લીનતામાં ફેર (હોય છે. ) મોટો ફેર ક્યાં સમ્યકષ્ટિની લીનતા અને ક્યાં મુનિરાજની લીનતા! ઓને (સમ્યદૃષ્ટિને) એક કષાયના અભાવપૂર્વક આનંદ અને (મુનિરાજને ત્રણ કષાયના અભાવ પૂર્વકનો પ્રચુર આનંદ! (બન્ને વચ્ચે) લીનતામાં ફેર, વીતરાગતામાં ફેર, આનંદમાં ફેર હોય છે પણ વિષય તો જે પ્રકારે નિર્વિકલ્પ ધ્યાન ચોથામાં પ્રથમ આવે, એવું જ નિર્વિકલ્પ ધ્યાન છઠ્ઠામાંથી જ્યારે સાતમા માં આવે ત્યારે આવે! નિર્વિકલ્પધ્યાનમાં કાંઈ ફેર નથી. (કહે છે) એવા નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં (ચિત્તને એકાગ્ર કર્યું છે) આ વીસ વરસ પહેલાં આ વાત કરી 'તી આંહીંયાં. ધ્યેયપૂર્વક શેય આવું થાય છે જ્ઞાનમાં ! વીસ વરસ પહેલાં કહ્યું તું! એમાં આપણાં મુમુક્ષુમંડળમાં એક બહેને આ વાત પકડી, એને એમ કહ્યું કે ઓહો! આ તો નિશ્ચય ને વ્યવહાર એકસમયમાં થઈ ગયું ! નિશ્ચય અને વ્યવહાર એક સમયમાં થઈ ગયું! સમયસારમાં છે આ વાત, બધે એ તો સેંકડો જગ્યાએ છે. મને બહુ યાદ રહેતું નથી એટલે બધો આધાર આપતો નથી. ધારણા શક્તિ મારી, થોડી કાચી છે! જે ક્ષતિ હોય એ આપણે કબૂલ કરવી. એકસો તેતાલીસ ગાથા. (અન્વયાર્થ:-) નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો) જ્યારે નવપક્ષ છૂટી જાય છે આત્મામાં છેલ્લો નિશ્ચયનયનો પક્ષ પણ છૂટે છે, વ્યવહારનયનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવીએ છીએ ને પેલો છૂટી જાય છે અનુભવ પહેલાં ને પછી નિશ્ચયનો પક્ષ જે આવે છે એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315