Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 233
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ પ્રવચન નં-૧૭ બુદ્ધ ! એમ એમાં એનો અર્થ અધ્યાર આવી ગયો. પ્રમાણજ્ઞાનના વિષયમાંથી, નિશ્વનય કાઢે તે જિનવચનમાં કુશળ છે. મોસંબી ઘરમાં આવી, એ પ્રમાણજ્ઞાનનો વિષય છે. (આ દષ્ટાંત આપું છું કે) બધાને સમજાય એટલે, મોસંબી (ઘરમાં આવી) એ પ્રમાણજ્ઞાનનો વિષય છે મોસંબીમાં રસ પણ છે, છાલાં છે છોતરાં (-રેસા) પણ છે, પણ ખવાય નહીં આહાહા! તો પ્રમાણનો વિષયભૂત જે મોસંબી (છાલાં-છોતરા સહિત છે) એમાંથી જે નિશ્ચયન, (–પ્રયોજનભૂત) કાઢે, એમાં જે રસ છે એને ખેંચી કાઢે અને છાલ-છોતરાને ફેંકી દે એ કુશળ છે! પણ (આખે-આખી) મોસંબીને બટકા ભરે તો? આ ક્યાંનો આવ્યો છે, આ ઢોર જેવો લાગે છે! છાલાં-છોતરાં સહિત ખાય તો ઢોર કહેવાય. મોસંબીને ઢોર તો બટકાં ભરે એમ ખાય તો ઢોર જ કહેવાય ને! આહાહા! આહા! એમ જ્ઞાનની હારે રાગને મેળવીને ( જે ) અનુભવ કરે છે હાથીનો દાખલો આપ્યો છે હોં! શ્રી સમયસાર શાસ્ત્રમાં ઘાસ અને ચૂરમું ભેળવીને (એકસાથે) ખાયને એમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને ભેળસેળ કરીને ખાય છે (-અનુભવે છે.) રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન પાડીને એકલા જ્ઞાનનો સ્વાદ લ્ય તેને જ્ઞાની કહેવામાં આવે છે. “વિવિધ વિકલ્પોથી-ભેદોથી કરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું તેનો કર્તા નથી.” કેમકે જે સત્ હોય-સ્વયંસિદ્ધ હોય-નિરપેક્ષ હોય, પર્યાય સત્ છે-પર્યાય સત્અહેતુક છે. દ્રવ્ય સત્! ગુણ સત્! પર્યાય સત્! હવે કેટલા” કે તો (આ) દ્રવ્ય –ગુણપર્યાયના નામેય ન સાંભળ્યા હોય! આહા..! (આત્મા) જ્ઞાતા છે એ કર્તા કેમ બને?! જ્ઞાતાને કર્તા માનવો એ અજ્ઞાન છે. ચક્ષુ છે એ માત્ર દશ્યપદાર્થને, દૂરથી દેખે! (ચક્ષુ ) કરે ને ભોગવે, એવો અનુભવ કોઈને આજસુધીમાં છે નહીં આંખ શું કરે? દેખે. થાય એને જાણે-દેખે બાકી કરે નહીં. એમ આત્મામાં જ્ઞાન નામનો વિશિષ્ટ પ્રકારનો, અસાધારણ એક ગુણ છે એનાં પરિણમનમાં-ઉપયોગ-જાણવાની ક્રિયા ચાલે છે, એ જાણવાની ક્રિયા માત્ર જાણનહારને અભેદ થઈને જાણે, એ જાણનહારને જાણતા-જાણતા પર એમાં જણાય જાય, એને પણ જાણે એમ ઉપચારથી કહેવાય છે. અણ ઉપચારે તો જ્ઞાન જ્ઞાયકને જાણે છે. આહાહા ! (કહે છે કે, “(વિભાવ૫ર્યાયોનો) નિશ્ચયથી હું કર્તા નથી કારયિતા નથી”-આ પરિણામ પ્રગટ થાય છે ને તેનો હું સીધો-ડાયરેકટ કર્તા નથી, અને ઇનડાયરેકટ પણ કર્તા નથી બીજાની પાસે એ પરિણામને હું કરાવું એ પણ મારો ધરમ નથી. હવે, એક સૂક્ષ્મ વાત કરે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315