Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 261
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ પ્રવચન નં-૨૦ છું એવો મારા પર ઉપચાર જ્યાં સુધી આવે છે ત્યાં સુધી ધારાવાહી અભેદનો અનુભવ આવી શકતો નથી. જ્યાં સુધી ધારાવાહી અભેદનો અનુભવ ન આવે ત્યાં સુધી શ્રેણી આવતી નથી. શ્રેણી ન આવે તો અરિહંત દશા પ્રગટ થતી નથી. મુનિરાજ કહે છે-અમને ખબર છે કે અત્યારે અરિહંત દશા પ્રગટ થવાની નથી. શુક્લધ્યાનનો ધારાવાહી અનુભવ રહેતો નથી. ધર્મધ્યાન તો છે પણ, શ્રેણીની સન્મુખ ધર્માત્મા આવી ગયા છે. આ કાળે શ્રેણી નથી. શ્રેણી તો શુક્લધ્યાનમાં આઠમા ગુણસ્થાન થી હોય, અત્યારે તો ધર્મધ્યાન છે. આત્માની કર્તબુદ્ધિ તો ગઈ. બંધ મોક્ષનો કર્તા નથી. મોક્ષમાર્ગનો ય કર્તા નથી. સાધકને કર્તબુદ્ધિ ગઈ, હવે કર્તા બુદ્ધિ જ્યારે જાય છે ત્યારે આત્મા સમ્યક પ્રકારે કર્તા થાય છે. કર્તાબુદ્ધિ જાય તો આત્મા સમ્યક પ્રકારે કર્તા થાય છે. એટલે શું? ! કે: આત્માની સન્મુખ થતાં સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્રના નિર્વિકારી નિર્મળ પરિણામ પ્રગટ થયા. હવે આત્મા મોક્ષમાર્ગરૂપે પરિણમે છે તો પરિણમે તેને કર્તા કહેવાય, અને નિર્મળ પરિણામ એને કર્મ એટલે કાર્ય કહેવાય. એ આત્માનું કાર્ય થયું. એટલો કર્તાપણાનો ઉપચાર પણ મુનિરાજને ખટકે છે. આહાહાકર્તાપણાનો ઉપચાર આવે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન આવે. કર્તાપણાના ઉપચારને ઓળંગી જાય-નિષેધ કરે ત્યારે સપ્તમ ગુણસ્થાન આવે છે. ચોથે એ જ રીત, પાંચમે એમ ને છઠ્ઠામાંથી સાતમામાં જવા માટે પણ આમ જ છે. કર્તા બુદ્ધિ ચોથે જાય અને કર્તાનો ઉપચાર સાતમામાં આવે ત્યારે જાય છે. ચોથ, પાંચમ, છઠું સવિકલ્પદશામાં કર્તાનો ઉપચાર રહી જાય છે. માટે આત્મા ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી એ રહસ્ય અહીં ખોલે છે. આ આત્મા સ્વઆશ્રિત પરિણામ થાય એનો ઉપચારથી કર્તા છે. આ નિર્મળ પર્યાયનો ઉપચાર પણ જ્યારે ખટકે છે ત્યારે એ ઉપચારને ઓળંગી ફરી અભેદના અનુભવમાં ચાલ્યા જાય છે. કર્તા-કર્મનો ભેદ નીકળી જાય છે. આત્મા કર્તા અને નિર્મળ પર્યાય મારું કર્મ એવું કર્તા-કર્મના ભેદમાં કર્તાનો ઉપચાર આવતો હતો તે અભેદમાં અનુપચાર થઈ જાય છે. આ સમજાય એવી સ્થિતિ છે. અનુભવ પહેલા પણ જરા મધ્યસ્થ થઈને, આત્માશ્રિત થઈને પોતાના સ્વરૂપને વિચારે તો આવી સ્થિતિનો ખ્યાલ પણ આવી શકવા યોગ્ય છે. આવી શકે નહીં એમ નથી. જો કોઈને ખ્યાલ ન આવે તો શાસ્ત્ર કેમ લખ્યાં?! કર્તબુદ્ધિ ચોથે ગઈ છતાં આચાર્ય ભગવાન કહે છે કે આ માર્ગણાસ્થાનનો હું કર્તા નથી. કેમ પ્રભુ! હું કર્તા નથી તે તમારે કેમ યાદ કરવું પડ્યું?! એનો જ્ઞાતા નથી એમ કહ્યું હોત તો તો અમે સમજી શકત, કે પર્યાય ભેદનો જ્ઞાતા થતાં અભેદનું જ્ઞાતાપણું દષ્ટિમાંથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315