Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 121
________________ ૩૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કરવો એ માત્ર અભિમાનરૂપ જ બની રહે છે. શંકા - છતાં વ્યવહારમાન્ય હિંસાના અભાવરૂપ દયા તો તેઓ પાળે જ છે ને ? સમાધાન - આને વાસ્તવિક દયા માનવી એ યોગ્ય નથી, કારણકે તો પછી સ્થાનકવાસી સાધુઓમાં આ દયાનો અભાવ થઈ જવાથી પ્રથમ મહાવ્રતનું પાલન નહીં રહે. આશય એ છે કે તેઓ પણ ભિક્ષા માટે ફરે છે, વિહાર કરે છે, અવસરે નદી પણ ઉતરે છે... આ બધામાં પ્રાણવ્યપરોણ તો થાય જ છે. તથા વાસ્તવિક દયા તો ઉચિતજ્ઞાન વિના શક્ય જ નથી, એ આપણે પઢમં નાણે તેઓ દયા શાસ્ત્રવચનાનુસારે વિચારી ગયા છીએ. સ્થાનકવાસીઓને નિશ્ચયવ્યવહારને માન્ય દયા-હિંસા વગેરેની જાણકારી નથી, (કારણકે એ હોય તો તો તેઓ મૂર્તિપૂજાનો નિષેધ ન જ કરે) અને એ જાણકારી નથી માટે પણ એમની વ્યવહારમાન્ય દયા એ વાસ્તવિક નથી. દયા અંગેનું તત્ત્વજ્ઞાન-વાસ્તવિક જાણકારી આ પ્રમાણે છે – શાસ્ત્રોમાં કહ્યા મુજબની જયણાવાળો સાધક બીજાનાં પ્રાણોની જયણાના પ્રભાવે જે રક્ષા કરે છે તે વ્યવહારથી અહિંસા-દયા છે. નિર્વિકલ્પસ્વભાવરૂપ પોતાના ભાવપ્રાણોની જે રક્ષા તે નિશ્ચયથી દયા છે. જયણાશીલ સાધકે કરેલું પરપ્રાણરક્ષણ એ વ્યવહારથી અહિંસારૂપ એટલા માટે છે કે (૧) વ્યવહારનય લોકમાન્ય વાતોને સ્વીકારનારો છે. અને લોકો તો જીવ બચાવવાને જ દયા કહે છે. અને (૨) આ પરપ્રાણરક્ષણ શુભસંકલ્પથી સંકળાયેલું હોય છે. “હું સાવધાન રહીને જયણા વગેરેથી આ જીવોનું રક્ષણ કરું' આવો શુભપરિણામ એ અહીં શુભસંકલ્પ છે. આ શુભસંકલ્પ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162