Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ બત્રીશી-૭, લેખાંક-૩૮ ૩૯૯ વિશેષ્યઅંગે કરવામાં આવેલા હોય, તે વિધાન કે નિષેધ, જ્યારે માત્ર વિશેષ્યમાં બાધિત હોય છે ત્યારે માત્ર વિશેષણને લાગુ પડે છે એવો એક ન્યાય-નિયમ છે. જેમકે પૂર્વાચાર્યોએ માર્ગાનુસારીજીવ માટે ન્યાયસંપન્ન વૈભવનું વિધાન કર્યું છે. મહાત્માઓ કાંઈ વૈભવનું વિધાન કરે નહીં (- વૈભવ રાખવો જોઈએ એવું વિધાન કરે નહીં) એ સ્પષ્ટ છે. એટલે ‘ન્યાયયુક્તવૈભવ'ના માત્ર વિશેષ્યરૂપ'વૈભવ'માં આ વિધાન બાધિત છે, એટલે એ માત્ર વિશેષણરૂપ ‘ન્યાય’ને લાગુ પડે છે. એટલે કે અહીં માત્ર ન્યાયનું જ વિધાન છે. તેથી, ‘તમારે વૈભવ રાખવો જોઈએ' એવો અર્થ નથી મળતો, પણ ‘તમારો જે વૈભવ હોય તે ન્યાયયુક્ત હોવો જોઈએ' એવો અર્થ મળે છે. આ જ રીતે નિષેધ અંગે જાણવું જોઈએ. જેમકે ‘અળગણ પાણી પીવું નહીં' આમ નિષેધ હોય તો જળપાનનો નિષેધ સંભવિત નથી. તેથી નિષેધ માત્ર વિશેષણમાં ‘અળગણપણાંમાં' લાગુ પડે છે. એટલે કે ‘પાણી અળગણ ન હોવું જોઈએ' એવો નિષેધ મળે છે. પ્રસ્તુતમાં પણ અપવાદાદિસ્થળે આ ન્યાય કામ કરે છે. જયણાપૂર્વક પરપ્રાણરક્ષણ કરવું' આમ વિધાન છે. પણ નદી ઉતરવી વગેરે અપવાદસ્થળે વિરાધના તો થવાની જ છે. એટલે પરપ્રાણરક્ષણરૂપ વિશેષ્ય બાધિત છે. એટલે ત્યાં એક પગ પાણીમાં એક પગ આકાશમાં અદ્ધર રહે' વગેરેરૂપ જયણાનું વિધાન સમજવું. અપવાદાદિસ્થળે આ વિશેષણસ્વરૂપ જયણાનું પાલન તો હોય જ છે. માટે વ્યવહારવિધિનો વ્યાઘાત થતો નથી એ જાણવું. એમ ‘પ્રમાદપૂર્વક પ૨પ્રાણવ્યપરોપણ' એ હિંસા છે, ને શાસ્ત્રોમાં એનો નિષેધ કર્યો છે. આમાં પ્રમાદપૂર્વકત્વ એ વિશેષણ છે અને ‘પરપ્રાણવ્યપરોપણ' એ વિશેષ્ય છે. જ્યાં ઈર્યાસમિતિનું પાલન ન કરવું-જયણા ન જાળવવી.... વગેરેરૂપ પ્રમાદ સેવાયો છે, પણ છતાં કદાચ જીવહિંસા થઈ નથી, તો પરપ્રાણવ્યપરોપણ' સ્વરૂપ માત્ર વિશેષ્ય છે નહીં, છતાં શાસ્ત્રોક્ત નિષેધ પ્રમાદાત્મક વિશેષણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162