Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૪૦૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન : પરપ્રાણવિયોજન વગેરે અસદ્ આયતનમાં વર્તનાર વ્યક્તિનો ભાવ જ શુભ રહેતો નથી. એટલે પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર અને શુદ્ધ પરિણામ આ બંનેથી થયેલ આભ્યન્તર માર્ગે મુમુક્ષુએ ચાલવું જોઈએ.
આશય એ છે કે કર્મનો બંધ કે નિર્જરા રૂપ ફળ પ્રત્યે તો આંતરિક પરિણામ જ ભાગ ભજવે છે. એટલે સાધુએ કર્મનિર્જરાના સ્વઉદેશને સિદ્ધ કરવા પરિણામને જ શુદ્ધ રાખવાનો હોય છે. પણ, આ શુદ્ધ પરિણામની શુદ્ધિ માટે જ સાધુએ પરપ્રાણરક્ષણ વગેરે સઆયતનોને સેવવાના હોય છે. નિષ્કારણ હિંસા કરનારો અહિંસાના પરિણામને શી રીતે ટકાવી શકે ? કહ્યું છે કે “જે હિંસા આયતનમાં વર્તે છે તેનો પરિણામ ખરેખર દુષ્ટ હોય છે. (આ એના પરથી જણાય છે કે, હિંસા આયતનમાં વર્તવું એ વિશુદ્ધ યોગનું લિંગ (જ્ઞાપકહેતુ)-ચિ નથી. એટલે કે એ અશુદ્ધ યોગને (ભાવને) જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામને ઇચ્છતા સુવિહિત મુનિએ હંમેશા બધા હિંસાયતનોનો પ્રયત્ન પૂર્વક પરિહાર કરવો જોઈએ.”
બાકી, ‘ફળ પ્રત્યે પરિણામ જ પ્રધાન છે એવા નિશ્ચયને જેઓ એકાન્ત પકડી લે છે (અને તેથી બાહ્ય પરપ્રાણરક્ષા કરવાના સદાચાર રૂપ વ્યવહારને નેવે મૂકી દે છે) તેઓ પરમાર્થથી તો નિશ્ચયનયને જ જાણતા નથી, કારણ કે હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનું તેઓને જ્ઞાન નથી. (આશય એ છે કે જે નિશ્ચય શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયો હોય તે હેતુશુદ્ધનિશ્ચય છે. શુદ્ધ પરિણામ એ સ્વરૂપશુદ્ધ નિશ્ચય છે અને શુદ્ધ પરિણામ ટકી રહે- વૃદ્ધિ પામે એ અનુબંધ શુદ્ધ નિશ્ચય છે. જેઓ એકાન્તનિશ્ચયને પકડી બાહ્ય સદાચારની સરાસર ઉપેક્ષા કરે છે તેઓ આ હેતુ વગેરેથી શુદ્ધ નિશ્ચયના જાણકાર ન હોવાથી એવા શુદ્ધ નિશ્ચયથી ભ્રષ્ટ જ થઈ જાય છે. તેઓને કદાચ શુદ્ધભાવ રૂપ સ્વરૂપ શુદ્ધ નિશ્ચય અલ્પકાળ માટે પ્રગટ્યો હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162