Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 134
________________ બત્રીશી-૭, લેખાંક-૩૯ ૪૦૯ શા માટે એ પરમાત્માની પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે ? શા માટે ટાઇમની કટોકટીમાંથી પણ પ્રભુભક્તિ માટે સમય કાઢે ? મંદિર અને પ્રભુના પ્રભાવે બીજા પણ ઘણા શુભભાવો જાગે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. વિવેકભ્રષ્ટ થઈને રસ્તા પર એકબીજાને ચીટકીને ચાલવાવાળા યુવક-યુવતી પણ જેવા દેરાસરના પગથિયા ચઢવા માંડે છે કે તરત એ બન્ને અલગ થઈ જાય છે. આ વિવેકરૂપી શુભભાવ કોણે જગાડ્યો ? ભિખારી પણ થીયેટરની બહાર નથી બેસતા. પણ દેરાસરની બહાર ભીખ માગવા બેસે છે. કારણકે એ પણ જાણે છે કે મંદિરમાં પ્રભુની પૂજા કરનારાને દાન વગેરે શુભભાવો સરળતાથી જાગે છે. જુઓ, સ્થાનકવાસીની જેમ જ મૂર્તિપૂજા નહીં માનનારા તેરાપંથી સંપ્રદાયના આચાર્ય તુલસી શું કહે છે-મૈં તો હમેશા નાતા હૂઁ मंदिरों में । अनेक स्थानों पर प्रवचन भी किया है । आज भीनमाल में श्री पार्श्वनाथ मंदिर में गया । स्तुति गाई । बहुत आनंद आया । (જૈનભારતી- વર્ષ ૩૧, અંક ૧૬-૧૭, પૃ. ૨૩ તા. ૨૦-૭-૮૩ તેરાપંથી અંક.) ભલા પરમાત્માની પ્રતિમા શુભભાવ પેદા કરવામાં સમર્થ છેઆ વાતમાં આનાથી વધારે મોટી કઈ સાબિતિ હોય શકે ? વાસ્તવિકતા એ છે કે મૂર્તિનો વિરોધ કરવાવાળો કોઈપણ સમાજ કે કોઈપણ સંસ્કૃતિ, એક યા બીજા રૂપમાં મૂર્તિના અસ્તિત્વને (સ્થાપનાને) માને જ છે. આ માન્યતા વિનાના સમાજની કે સંસ્કૃતિની કલ્પના જ અશક્ય છે. પોતાના માતાપિતાની તસ્વીર કોણ નથી રાખતું ? એનાં દર્શનથી જો કૃતજ્ઞતાના ભાવ ઉત્પન્ન થાય છે તો પરમાત્માની પ્રતિમાના દર્શનથી ભક્તિના ભાવ શા માટે પેદા ન થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162