________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ.
કમાવાના હેતુથી; પણ લડત જાગતાં તેમાંના ધણા ધંધા છેાડીને લડતમાં જોડાયા હતા અને પેાતાની વીરતા અને આપભાગની શક્તિને ગાંધીજીને પરિચય આપ્યા હતા. ૧૯૨૧-૨૨માં સવિનય ભાંગનેા પ્રથમ પ્રયાગ બારડેાલીમાં કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ત્યારે બારડોલીના લેાકેાના તેમના દક્ષિણ આફ્રિકાને પરિચય પણ ઘણે અંશે તેમાં કારણરૂપ હતા. એ પ્રયાગ તે વેળા કેમ ન થયેા તેના કારણમાં અહીં ઊતરવાની જરૂર નથી. પણ એ મહાપ્રયાગને માટે ખારડાલી તાલુકા પસંદ કરવામાં આવ્યા હતા એ વાતને કાઈ મિથ્યા કરી શકે એમ નહોતું; અને તે વળા તે મહાપ્રયાગમાં બારડોલી સાંગેાપાંગ ઊતરત કે એ પ્રયાગની નીચે ચૂરાઈ જાત એ કહેવું અશક્ય છે, છતાં તે વેળા કેટલીક તૈયારીની તે ખારડેાલીને ટેવ પડેલી હતી એ સ્પષ્ટ છે. તે વેળા બધા પટેલેાએ રાજીનામાં લખીને ગાંધીજીને આપી રાખ્યાં હતાં, અનેક ગામેામાં ‘રાસ્તી ’રાષ્ટ્રીય શાળા) ખેાલાયેલી હતી, અનેક સ્ત્રીપુરુષોએ લડતમાં સ્વયંસેવક તરીકે પોતાનાં નામ આપ્યાં હતાં, અને ખાદીને પ્રચાર પણ ઠીક થયેા હતેા. રાનીપરજ લેકામાં આત્મશુદ્ધિને જબરદસ્ત પવન વાયેા હતેા, અને તેમાંના ધણાએ દારૂતાડી વગેરે છેડત્યાં હતાં. ગાંધીજીના પકડાયા પછી શ્રી. વલ્લભભાઈ એ પેાતાના સાથીઓ દ્વારા રચનાત્મક કાર્યક્રમ જોસથી ચાલુ રાખી કાક દિવસ બારડેાલીને સત્યાગ્રહને માટે તૈયાર કરવાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. તાલુકાના જુદાજુદા ભાગમાં પાંચ થાણાં સ્થપાયાં હતાં — ખારડાલી, સરભાણુ, વરાડ, મઢી અને વાંકાનેર અને પાંચે ઠેકાણે કસાયેલા સેવા આસપાસના વાતાવરણની નિરાશાજનકતાને વિચાર કર્યા વિના અડગ નાંખીને પડચા હતા. ખારડેલીમાં સ્વ. મગનલાલ ગાંધીની દેખરેખ નીચે રાનીપરજ છેાકરાઓને વણાટ શીખવવાની શાળા ચાલતી, તેમજ બીજા થાણાં દ્વારા ખાદીની પ્રવૃત્તિ ધીમેધીમે ચાલતી. રાનીપરજ ’નામના જન્મ '૨૧ પછી થયેલેા. સરકારી દફતરે અને લેાકેાને મેઢે એ લેાકેા ‘ કાળીપરજ' તરીકે ચડેલા હતા. ૧૯૨૬ માં એ લેાકેાની એક પરિષદ ખાનપુર નામના ગામડામાં ભરાઈ ત્યારથી તેમના નામમાં રહેલી કાળી ટીલી ભુંસાઈ
: