________________
•
૧ લું
બારડેલી અને ગાડાં ભાડે ફેરવે છે, અને પારસીઓ ઘણાખરા દારૂતાડીની દુકાનેવાળા છે અને ઘણું જમીનના માલિક છે.
ખેડા જિલ્લાનાં ગામડાંની સરખામણીમાં બારડોલીનું ગામડું વસ્તીમાં ઘણું નાનું કહેવાય. ખેડામાં કેટલાંક ગામ ૧૦,૦૦૦ સુધી વસ્તીવાળાં છે, જ્યારે બારડોલીમાં કસબાનાં ગામ સિવાય એવું મેટું એકે ગામ નથી, અને કેટલાંક ગામમાં તે પચીસત્રીસ કે પાંચદશ ઘરો જ હશે. બારડોલીના પશ્ચિમ વિભાગનાં ગામડાંમાં વસ્તી કંઈક ઘીચ છે, પણ ખેડાના જેટલી ઘીચ વસ્તી તે ક્યાંય નથી. વાણિયા, બ્રાહ્મણ અને કણબીઓનાં ઘરેટાં નળિયેરી, આગલાં, અને પાછલાં બારણુંવાળાં અને મોટા વાડાવાળાં હોય છે. રાનીપરજ લેકે છૂટાછવાયાં ખેતરમાં છાપરાં નાંખીને રહે છે. કણબીઓનાં ઘરો મોટા માળ અને ઓટલાવાળાં હોય છે, પણ અંદર જુએ તો ઉપર અને નીચે સળંગ ખંડે, માળ ઉપર ઘાસચારો, ગેતર અને દાણાનાં પાલાં ભરેલાં, અને નીચે ઘરના અરધા ભાગમાં ઢોરોનો વાસ. ગુજરાતમાં બીજે ક્યાંય આ પ્રથા જોવામાં આવતી નથી. જ્યાં લૂટફાટ અને ઢોરઢાંખરની ચોરી થતી હોય ત્યાં ઢેરને ઘરમાં રાખવાનું સમજી શકાય – જેકે જુદાં કોઢારાં રાખવાથી એ ગરજ તે સરે છે જ –પણ બારડોલી જ્યાં લૂટફાટ કે ચેરીનું નામ નથી ત્યાં મેટી હવેલી જેવાં દેખાતાં ઘરોમાં માણસો ઢોરની સાથે રહેવાનું કેમ પસંદ કરતાં હશે એ વાત અજાણ્યા માણસને આશ્ચર્ય પમાડે છે. સત્યાગ્રહની લડતમાં તો ઢોરોએ પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો, અને સ્વાથ્ય અને સ્વચ્છતાની વિરુદ્ધ લાગતી આ પ્રથા અણધારી રીતે સત્યાગ્રહને મદદ કરનારી થઈ પડી હતી એ જુદી વાત છે. | તાલુકાના આ બાહ્ય વર્ણનમાં એવી એકે વસ્તુ નથી કે જે એ તાલુકાને ગુજરાતમાં વિશેષ સ્થાન આપવાને કારણરૂપ ગણાય. પણ એ કારણો જેવાને માટે જરા અંતરમાં ઊતરવું પડશે.
બારડોલીને ભલે કોઈ જાણતું ન હોય, પણ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહી સેનામાં અનેક કણબી, અનાવલા અને મુસલમાન બારડોલીના હતા. આ બધા ગયા હતા તો ત્યાં